મુખ્ય સામગ્રી પર જાઓ

Giriraj Singh on India Pak Match: ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ ગિરિરાજ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

<p>Giriraj Singh Statement on India vs Pakistan Match: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ આજે જોધપુર પહોંચ્યા હતા અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં હાજરી આપ્યા બાદ વિદાય વખતે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન ગિરિરાજ સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન હોવી જોઈએ. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.</p> <p><br />કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, આતંકવાદનો ચહેરો હવે સ્પષ્ટ થઈ જશે. આવનારા સમયમાં ભારતની ધરતી પરથી માત્ર કૉંગ્રેસનું નામ જ સાફ થશે. જમ્મુ -કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા હુમલાને જોતા આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સંબંધો હજુ સારા નથી.</p> <p>આ દરમિયાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ''કોંગ્રેસ દેશમાં ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મિકી સમાજ, એસસીએસટી લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે અને કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવીને મારવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે કંઈ પણ બોલ્યા વગર લખીમપુરમાં જઈ રાજનીતિ કરી રહ્યા છે.''</p> <p>આ અગાઉ પણ ગિરિરાજ સિંહે શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લખીમપુર ખીરીની મુલાકાત 'રાજકીય પર્યટન' નું ઉદાહરણ છે. પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'લખીમપુર ખીરીની મુલાકાત લેવા ગયેલા રાહુલ ગાંધીમાં સાચી સહાનુભૂતિ અને કરુણા નથી. જ્યાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તક મળે છે, તેઓ તેમના રાજકીય પ્રવાસ સાથે આગળ વધે છે. હું પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધી તે ઘટનામાં માર્યા ગયેલા પત્રકારના પરિવારને મળવા કેમ ન ગયા. તે કાશ્મીરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવા માટે ખીણમાં કેમ ન ગયા ? ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3BRMGof

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...