<p><strong>India Covid-19 Update:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 19,740 નવા કેસ નોંધાયા છે. અને 318 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,36,643 પર પહોંચી છે. જે 206 દિવસનું નીચલું સ્તર છે. જ્યારે રિકવરી રેટ 97.93 ટકા થયો છે.</p> <p><strong>છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <p>1 ઓક્ટોબરઃ 26,727</p> <p>2 ઓક્ટોબરઃ 24,534</p> <p>3 ઓક્ટોબરઃ 22,842</p> <p>4 ઓક્ટોબરઃ 20,799</p> <p>5 ઓક્ટોબરઃ 18,346</p> <p>6 ઓક્ટોબરઃ 18,383</p> <p>7 ઓક્ટોબરઃ 22,431</p> <p>8 ઓક્ટોબર: 21,527</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">COVID19 | India reports 19,740 new cases in the last 24 hours; Active caseload at 2,36,643; lowest in 206 days: Ministry of Health and Family Welfare <a href="https://t.co/4JIXlPCkKD">pic.twitter.com/4JIXlPCkKD</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1446680641525805057?ref_src=twsrc%5Etfw">October 9, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>કોરોના સંક્રમણને રોકવા આગામી 6થી8 સપ્તાહ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા</strong></p> <p>કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે. </p>
from india https://ift.tt/3alwNtV
from india https://ift.tt/3alwNtV
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો