<p><strong>India Covid-19 Update:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે.શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 16,862 નવા કેસ નોંધાયા છે અને 387 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,03,678 પર પહોંચી છે.</p> <p><strong>છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987</li> </ul> <p><strong>દેશમાં કોરોનાની શું છે સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 37 હજાર 592</li> <li>કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 82 હજાર 100</li> <li>કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 03 હજાર 814</li> <li>કુલ મોતઃ 4 લાખ 51 હજાર 814</li> </ul> <p><strong>દેશમાં કેટલા લોકોને અપાઈ રસી</strong></p> <p>દેશમાં અત્યાર સુધીમાં 97,14,38,553 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 30,26,483 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. </p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India reports 16,862 new <a href="https://twitter.com/hashtag/COVID?src=hash&ref_src=twsrc%5Etfw">#COVID</a> cases, 19,391 recoveries and 379 deaths in last 24 hours, as per Union Health Ministry.<br /><br />Total cases: 3,40,37,592<br />Active cases: 2,03,678<br />Total recoveries: 3,33,82,100<br />Death toll: 4,51,814<br /><br />Total Vaccination: 97,14,38,553 (30,26,483 in last 24 hrs) <a href="https://t.co/HL6ZofzuQl">pic.twitter.com/HL6ZofzuQl</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1448868234640322561?ref_src=twsrc%5Etfw">October 15, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા</strong></p> <p>આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 58,88,44,673 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 11,80,148 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.</p> <p><strong>કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા</strong></p> <p>કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે. </p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="Gujarat Corona Cases: તહેવારોમાં છૂટ ભારે પડી, પોણા ત્રણ મહિના બાદ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ" href="https://ift.tt/30xwfzL" target="">Gujarat Corona Cases: તહેવારોમાં છૂટ ભારે પડી, પોણા ત્રણ મહિના બાદ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ</a></strong></h2>
from india https://ift.tt/3BYfhIF
from india https://ift.tt/3BYfhIF
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો