મુખ્ય સામગ્રી પર જાઓ

Kutch : મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતાં દલિત પરિવાર પર હુમલો, 5ની ધરપકડ

<p><strong>ક્ચ્છઃ</strong> &nbsp;પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નેર ગામે મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા હોવાનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. પૂર્વ ક્ચ્છ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. હુમલો કરનારા કુલ 16 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાર આરોપીઓને શોધવા પૂર્વ ક્ચ્છ પોલીસની વિવિધ નવ ટીમોનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.&nbsp;</p> <p>આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, આ દ્રશ્યો અત્યંત વિકૃત, વિચલિત કરતા ક્રૂર છે. દલિતો મંદિરમાં દર્શન કરવા જવાની આ સજા? ભચાઉ તાલુકામાં બનેલી આ ઘટના સમાજ અને સરકાર ઉપર તમતમતો તમાચો છે. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને ટેગ કરીને &nbsp; તાત્કાલિક કડકમાં કડક પગલાં લઈ અત્યાચારી પરિબળોને સખતમાં સખત સજા થાય તે સુનિશ્ચિત કરે, તેમ ટ્વીટમાં જણાવ્યું છે.&nbsp;<br /><br />રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. જે દિવસે ઘટના બની ત્યારે કલેકટર અને એસપી સાથે ચર્ચા કરી. FIRની કોપી મંગાવી, કઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી પર પણ મંત્રી પ્રદીપ પરમારે પ્રહાર કર્યો. નવસાદ સોલંકી સાચા અર્થમાં લોકોના કામ નથી કરતા. માત્ર ટ્વીટ કરે છે. આવી કોઈપણ ઘટના વખોડવા લાયક છે. એક ઘટનાને લઈ સમગ્ર રાજ્યને બદનામ ના કરવું જોઈએ.</p>

from gujarat https://ift.tt/3jO0Lfa

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...