મુખ્ય સામગ્રી પર જાઓ

MCTE અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ડિયન આર્મી હેકેથોન

<p>મિલિટરી કોલેજ ઓફ ટેલિ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ,મહૂ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે મળીને પ્રથમ &ldquo;ઇન્ડિયન આર્મી હેકેથોન&rdquo;નું આયોજન કરી રહી છે. ૧૬મી ઑક્ટોબર ૨૦૨૧થી શરૂ થનાર આ હેકેથોન ત્રણ મહિના સુધી ચાલશે. &ldquo;ઇન્ડિયન આર્મી હેકેથોન&rdquo;ની જાહેરાત ચીફ ઓફ આર્મી સ્ટાફ, જનરલ એમ.એમ. નરવાણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસીની સાથે આર્મી કમાન્ડર આર્મી ટ્રેનિંગ કમાન્ડ લેફ્ટ. જન. રાજ શુકલા, વાયએસએમ, એસએમ, જીઓસી - ઈન સી આર્ટ્રેક દ્વારા કરવામાં આવી હતી.</p> <p>આ અંગે મીડિયા સાથે વાત કરતાં લેફ્ટ. જનરલ એમ.યુ. નાયર, કમાન્ડન્ટ એમસીટીઈ એ જણાવ્યું હતું કે સમગ્ર દેશના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તેમજ લશ્કરના કર્મચારીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ઓછામાં ઓછા 30 હજાર સ્પર્ધકો ઓન-લાઈન ભાગ લે તેવી અપેક્ષા છે.</p> <p>ત્રણ તબક્કામાં યોજાનારી આ સ્પર્ધામાં તાલીમના સ્તરો દરેક તબક્કે વધુ ઊંચા થતાં જશે. આખરી સ્તરે સ્પર્ધકો સિક્યોર કોડિંગ અને સોફ્ટવેર ડીફાઈન્ડ રેડિયોઝના ઉપયોગના ક્ષેત્રોમાં એકબીજા સાથે સ્પર્ધા કરશે અને આખરે જુદી જુદી ટીમો એકબીજા સાથે વાસ્તવિક અને આભાસી પડકારો (રિયલ એન્ડ સીમ્યુલેટેડ થ્રેટ્સ) સાથે સાયબર સ્પેસમાં સ્પર્ધા કરશે. ધ્વજને હાંસલ કરવા (વિજેતા બનવા) માટે એક સ્પર્ધકે બીજા સ્પર્ધકને હરાવવાની વ્યૂહરચના ઘડીને તેને અમલમાં મૂકવાની રહેશે. આ પ્રસંગે, લશ્કરી ક્ષેત્રમાં ઉભરી રહેલા સાયબર પડકારો અને તેમને પહોંચી વળવાના ઉપાયોને ધ્યાનમાં રાખીને અનેક સેમિનારો, નિષ્ણાત ચર્ચાઓ અને સંમેલનોનું આયોજન પણ કરવામાં આવશે.</p> <p>આ પ્રસંગે, પ્રા. (ડૉ.) બિમલ પટેલ, કુલપતિશ્રી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ જણાવ્યું કે હવે તમામ ક્ષેત્રોમાં સાયબર પ્રવેશી ચૂક્યું છે અને તે દરેકના જીવનને સ્પર્શે છે. ગુનેગારો અને શત્રુઓ બંને સિસ્ટમમાં રહેલી ઊણપોનો દુરૂપયોગ કરે છે. શાંતિપૂર્ણરીતે તથા કાયદાની રાહે ચાલનારા લોકો માટે ઊભો થઇ રહેલો આ એક સૌથી મોટો પડકાર છે. તેઓએ આ પડકારને ઝીલવા માટે આગળ આવવા બદલ ભારતીય લશ્કર (ઇન્ડિયન આર્મી) અને એમસીટીઈ ને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે &ldquo;ઇન્ડિયન આર્મી હેકેથોન&rdquo; જેવા કાર્યક્રમો, સંભવિત ત્રૂટીઓ અને નબળાઇઓને સમજવા અને તેને દુરસ્ત કરવા માટે આવશ્યક છે.</p> <p>લેફ્ટ. જનરલ એમ.યુ.નાયરે વધુમાં જણાવ્યું કે એક સમર્પિત (ડેડીકેટેડ) વેબ પોર્ટલ <u>sain</u><u>y</u><u>a-ranakshetram.in</u> ઊભું કરવામાં આવશે જેના ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને આ સ્પર્ધાના આયોજન અંગે રિયલ ટાઇમમાં જાણકારી મેળવી શકાશે. તેઓએ એમ પણ જણાવ્યું કે આ સ્પર્ધાનું આયોજન પહેલીવાર જ કરવામાં આવી રહ્યું છે પરંતુ ઇન્ડિયન આર્મી તેને હવે દર વર્ષે યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન ૧૬મી ઑક્ટોબર ૨૦૨૧થી શરૂ થશે.</p>

from gujarat https://ift.tt/3uXNchz

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...