MP News: રજા માટે એન્જિનિયરે લખ્યો પત્ર, કહ્યું- પાછલા જન્મમાં ઓવૈસી બાળમિત્ર હતા, મોહન ભાગવત ‘શકુની મામા’, જાણો પછી શું થયું ?
<p><strong>Madhya Pradesh News:</strong> જનપદ પંચાયત સુસનેરમાં મનરેગા હેઠળ તૈનાત એક એન્જિનિયરે રવિવારે મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં રજા મેળવવા માટે એક વિચિત્ર પત્ર લખ્યો. આમાં તેણે લખ્યું કે તેને તેના પહેલાના જન્મનો અહેસાસ થયો છે, જેમાં અસદુદ્દીન ઓવૈસી તેનો મિત્ર નકુલ હતો. ઈજનેર પત્રમાં અહીં અટક્યા નથી. તેમણે આરએસએસના વડા મોહન ભાગવતને તેમના અગાઉના જીવનમાં 'શકુની મામા' હોવાનું પમ લખઅયું.</p> <p>ઇજનેરે આ પત્ર જનપદ પંચાયતના સત્તાવાર ગ્રુપમાં મૂક્યો. પોતાની ભાષામાં જવાબ આપતા જિલ્લાના સીઈઓએ રવિવારે ઓફિસમાં હાજર રહીને કામ કરવાનો આદેશ પણ આપ્યો હતો. વોટ્સએપ ગ્રુપની ચેટિંગ હવે વાયરલ થઈ છે, જે ચર્ચાનો વિષય બની છે.</p> <p>સુસનેર જિલ્લામાં તૈનાત ડેપ્યુટી એન્જિનિયર રાજકુમાર યાદવે તેમના પત્રમાં લખ્યું છે કે તેઓ રવિવારે જિલ્લાના કોઈપણ કામમાં હાજર રહી શકશે નહીં, કારણ કે થોડા દિવસો પહેલા જ સમજાયું કે આત્મા અમર છે. આ સાથે, પાછલા જન્મનો આભાસ થયો છે. આમાં અસદુદ્દીન ઓવૈસી અગાઉના જન્મના નકુલ હતા અને મોહન ભાગવત 'શકુની મામા' હતા. એટલા માટે હું મારું જીવન જાણવા ગીતા વાંચવા માંગુ છું. આ સાથે, હું ઘરે ઘરે જઈને મારી અંદરનો અહંકાર દૂર કરવા ભીખ માગીશ. કારણ કે આ આત્માનો પ્રશ્ન હોવાથી તેને રવિવારની રજા આપવી જોઈએ.</p> <p><img src="https://ift.tt/3mAgQWy" alt="MP News: छुट्टी के लिए इंजीनियर ने लिखी चिट्ठी, कहा- पिछले जन्म में ओवैसी बालसखा थे, मोहन भागवत 'शकुनी मामा', जानें फिर क्या हुआ?" /></p> <p>જનપદ પંચાયતના સીઈઓ પરાગ પંથીએ પણ ઈજનેરની ભાષામાં તેમનો જવાબ લખ્યો હતો. તેમણે લખ્યું કે પ્રિય નાયબ ઇજનેર, તમે તમારો અહંકાર દૂર કરવા માંગો છો, તે ખૂબ જ ખુશીની વાત છે. આમાં આપણો અવિરત સહયોગ પણ સાધક બની શકે છે, આ વિચાર મનમાં આનંદ ઉત્પન્ન કરે છે. વ્યક્તિ ઘણીવાર ઘમંડી હોય છે અને વિચારે છે કે તે તેના રવિવારને પોતાની મરજીથી પસાર કરી શકે છે. આ અહંકારને તેના બીજ સ્વરૂપમાં નાશ કરવો એ તમારી પ્રગતિ માટે અનિવાર્ય છે. તેથી, આધ્યાત્મિક પ્રગતિ માટેની તમારી ઇચ્છાને ધ્યાનમાં રાખીને, તમને દર રવિવારે ઓફિસમાં હાજર રહીને કામ કરવાનો આદેશ આપવામાં આવે છે, જેથી રવિવારને રજા તરીકે ઉજવવાનો તમારો અહંકાર નાશ પામે.</p> <p>જનપદ પંચાયત સુસનેરના સત્તાવાર ગ્રુપમાં હવે અધિકારીઓ અને ઇજનેરોના પત્રોની ઉગ્ર ચર્ચા થઈ રહી છે. વિચિત્ર પત્ર આપ્યા બાદ હવે એન્જિનિયરને રજા મળી નથી, પરંતુ ઓફિસ પહોંચ્યા બાદ દર રવિવારે કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવા વિચિત્ર પત્રવ્યવહાર અંગે વરિષ્ઠ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે, તે જોવાનું રહેશે.</p>
from india https://ift.tt/3FBQb4v
from india https://ift.tt/3FBQb4v
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો