મુખ્ય સામગ્રી પર જાઓ

શાહરૂખના દીકરાની ડ્રગ્સ પાર્ટી પર રેડ કરનારા NCBના વાનખેડેએ કઈ એક્ટ્રેસ સાથે કર્યાં છે લગ્ન ? ક્યા કેસને કારણે બનેલા જાણીતા ?

<p><strong>Cruise Party:</strong> બૉલીવુડમાં અત્યારે હંગામો મચી ગયો છે, કેમ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગઇ રાત્રે એક મોટી ડ્રગ્સ પાર્ટી પર રેડ કરી છે. ગઇ મો઼ડી રાત્રે મુંબઈથી ગોવા માટે ક્રુઝ શિપ પર જઈ રહેલી ડ્રગ પાર્ટી પર દરોડા પાડવામા આવ્યા હતા, આમાં બૉલીવુડનુ કનેક્શન પણ છે. દરોડા દરમિયાન એનસીબીએ દસ લોકોની અટકાયત કરી છે. તેમાં એક મોટા અભિનેતાના પુત્રનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાના પુત્રની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે તેને ત્યાં વીઆઇપી મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. રિપોર્ટ છે કે, શાહરૂખાનના દીકરો આ પાર્ટીમાં સામેલ હતો. પરંતુ આ બધાની વચ્ચે ખાસ ચર્ચા જે નામની થઇ રહી છે, તે છે સમીર વાનખેડે. સમીર વાનખેડેઆ દરોડાની આગેવાની લઇને તમામ ઓપરેશનની બાગદોર સંભાળી હતી. સમીર વાનખેડે એનસીબીના સીનિયર ઓફિસર છે.&nbsp;</p> <p><strong>કોણ છે સમીર વાનખેડે-&nbsp;</strong><br />સમીર વાનખેડે (Sameer Wankhede) મહારાષ્ટ્રના રહેવાસી છે, અને તે 2008 બેચના ભારતીય રાજસ્વ સેવા આઇઆરએસ ઓફિસર છે. આઇઆરએસમાં આવ્યા બાદ તેમની પહેલુ પૉસ્ટિંગ મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયુ હતુ. અહીં તેમને ડેપ્યૂટી કસ્ટમ કમિશનર તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. &nbsp;</p> <p>સમીર વાનખેડેની કાબેલિયન અને કામમાં તેમની શાર્પનેસને ધ્યાનમાં રાખતા આંધ્રપ્રદેશ અને પછી દિલ્હીમાં પણ કેસના સિલસિલામાં મોકલવામા આવ્યા હતા. સમીરને ડ્રગ્સ અને નશા સાથે જોડાયેલા કેસોના સ્પેશ્યલિસ્ટ માનવામાં આવે છે. ખાસ વાત છે કે, સમીર વાનખેડેએ સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી કેસમાં પણ કામ કર્યુ હતુ. તેમનો બૉલીવુડના રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો.</p> <p><strong>સમીર વાનખેડેની પત્ની છે એક્ટ્રેસ-&nbsp;</strong><br />બહુજ ઓછા લોકો જાણે છે કે સમીર વાનખેડેની પત્ની એક એક્ટ્રેસ છે, તેમની પત્નીનુ નામ ક્રાંતિ રેડકર છે, ક્રાંતિ રેડકર ખુબ ચર્ચિત અને જાણીતી મરાઠી અભિનેત્રી છે. ક્રાંતિ અજય દેવગનની સાથે ફિલ્મ ગંગાજલમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તેને ઘણીબધી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. ક્રાંતિ બૉલીવુડથી વધુ મરાઠી સિનેમામાં એક્ટિવ છે.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/3l3Gkfq" /></p> <p><strong>અભિનેતાના પુત્રએ શું કહ્યું</strong><br />NCB ના સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેતાના પુત્ર પાસેથી તે ક્રૂઝ પર આવવા માટે કોઈ ફી લેવામાં આવી નથી. અભિનેતાના પુત્રએ જણાવ્યું છે કે બાકીનાને ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને બોલાવવામાં આવ્યા હતા.</p> <p><strong>પાર્ટીમાં હાજર તમામને અપાયા હતા પેપર રોલ</strong><br />આ સાથે જ આ મામલે વધુ એક મોટી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં હાજર રહેલા તમામ લોકોને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, એનસીબીને મોટાભાગના ગેસ્ટ રૂમમાંથી કાગળની ગડી મળી. પેપર રોલને સંયુક્ત પેપર પણ કહેવામાં આવે છે.</p> <p><strong>ડ્રગ્સ મળ્યા બાક ક્રૂઝને મુંબઈ તરફ વાળવામાં આવ્યું</strong><br />આ ક્રૂઝ મુંબઈથી નીકળીને દરિયામાં પહોંચતાની સાથે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ. ક્રુઝ પર NCB ની ટીમ પહેલાથી જ હાજર હતી. આ પછી દરોડા શરૂ થયા અને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા બાદ ક્રૂઝને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું. એનસીબીએ હજુ સુધી સત્તાવાર રીતે લોકોના નામ જાહેર કર્યા નથી. ક્રૂઝમાં પકડાયેલા લોકોને મુંબઈ પરત લાવવામાં આવ્યા છે. હવે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ક્રુઝ પર આ દરોડો NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે કર્યો હતો.</p> <p><br /><img src="https://ift.tt/3a187XK" /></p>

from india https://ift.tt/3B1qS98

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...