મુખ્ય સામગ્રી પર જાઓ

કેવી રીતે જાસૂસી કરે છે Pegasus સ્પાયવેર, યૂઝરનો ફોન કેવી રીતે કરે છે હેક ...? જાણો વિગતે

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં થોડા સમય પહેલા જ પેગાસસ સ્પાયવેરને લઈને નવો વિવાદ છેડાઈ ગયો છે, જે આજે સુપ્રીમ કોર્ટના આ મામલાની તપાસના નિર્ણય સાથે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કેન્દ્ર સરકારને ઝટકો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. હકીકતમાં, થોડા સમય પહેલા મીડિયા અહેવાલોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ સોફ્ટવેરની મદદથી ભારતમાં ડઝનેક રાજકારણીઓ, પત્રકારો અને કાર્યકર્તાઓની તેમના ફોન પર જાસૂસી કરવામાં આવી છે. વિપક્ષ આના પર ગુસ્સે થયો જ્યારે સરકારે કોઈપણ 'અનધિકૃત અવરોધ'નો ઇનકાર કર્યો હતો.</p> <p>તમને જણાવી દઈએ કે પેગાસસને ઈઝરાયેલ સ્થિત સાઈબર ઈન્ટેલિજન્સ અને સિક્યોરિટી ફર્મ NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ સ્પાયવેર 2016 થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે અને તે Q Suite અને Trident જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે. બજારમાં ઉપલબ્ધ આવા તમામ ઉત્પાદનોમાં તે સૌથી વધુ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. તે એપલની મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ iOS અને Android ઉપકરણોમાં પ્રવેશ કરી શકે છે. પેગાસસનો ઉપયોગ સરકારો દ્વારા લાયસન્સ આધાર પર કરવાનો હતો. મે 2019 માં તેના વિકાસકર્તાએ સરકારી ગુપ્તચર એજન્સીઓ અને અન્ય લોકો માટે પેગાસસનું વેચાણ મર્યાદિત કર્યું.</p> <p>NSO ગ્રૂપની વેબસાઈટના હોમ પેજ મુજબ, કંપની એવી ટેક્નોલોજી બનાવે છે જે "સરકારી એજન્સીઓને આતંકવાદ અને અપરાધને રોકવા અને તેની તપાસ કરવામાં મદદ કરે છે, વિશ્વભરમાં હજારો લોકોના જીવ બચાવે છે."</p> <p><strong>પેગાસસ સ્પાયવેર કેવી રીતે કામ કરે છે</strong></p> <p>ઈઝરાયેલના NSO ગ્રુપ દ્વારા વિકસિત પેગાસસ સ્પાયવેર iPhones અને Android ફોનમાં ઘૂસણખોરી કરવામાં સક્ષમ છે. હેકિંગમાં આ સોફ્ટવે WhatsApp ની એક ખામીનો ઉપયોગ કર્યો છે. આ સ્પાયવેર હાનિકારક લિંક અથવા મિસ્ડ વોટ્સએપ વિડીયો કોલ દ્વારા પ્રવેશ કરે છે. પછી તે ફોનના બેકગ્રાઉન્ડમાં ચુપચાપ સક્રિય થાય છે.</p> <p>આ રીતે, આ સ્પાયવેર ફોનના સંપર્કો, સંદેશાઓ અને અન્ય ડેટાની સંપૂર્ણ ઍક્સેસ મેળવે છે. આ સોફ્ટવેર યુઝરના ફોનના માઇક્રોફોન અને કેમેરાને પણ ઓટોમેટીક ઓન કરી શકે છે. વોટ્સએપે હવે આ ખામીને સુધારી છે.</p> <p><strong>ફોનમાં સ્પાયવેર કેવી રીતે પ્રવેશે છે</strong><strong>?</strong></p> <p>વોટ્સએપ વીડિયો કોલ યુઝરના ફોન પર આવે છે. એકવાર ફોનની રિંગ વાગે છે, હુમલાખોર હાનિકારક કોડ મોકલે છે અને આમ આ સ્પાયવેર ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને ઓપરેટિંગ સિસ્ટમ પર કબજો કરી લે છે. સ્પાયવેર સંદેશાઓ, કૉલ્સ, પાસવર્ડ્સની ઍક્સેસ મેળવે છે. તેની પાસે માઇક્રોફોન અને કેમેરાની પણ ઍક્સેસ છે, અને વપરાશકર્તાના ફોનમાં છૂપાઇ ગયા પછી આ સ્પાયવેર તમામ ડેટા અને ગુપ્ત જાણકારી ચોરી લે છે.</p>

from india https://ift.tt/3Gr2CAs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...