મુખ્ય સામગ્રી પર જાઓ

કેવી રીતે જાસૂસી કરે છે Pegasus સ્પાયવેર, યૂઝરનો ફોન કેવી રીતે કરે છે હેક ...? જાણો વિગતે

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં થોડા સમય પહેલા જ પેગાસસ સ્પાયવેરને લઈને નવો વિવાદ છેડાઈ ગયો છે, જે આજે સુપ્રીમ કોર્ટના આ મામલાની તપાસના નિર્ણય સાથે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કેન્દ્ર સરકારને ઝટકો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. હકીકતમાં, થોડા સમય પહેલા મીડિયા અહેવાલોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ સોફ્ટવેરની મદદથી ભારતમાં ડઝનેક રાજકારણીઓ, પત્રકારો અને કાર્યકર્તાઓની તેમના ફોન પર જાસૂસી કરવામાં આવી છે. વિપક્ષ આના પર ગુસ્સે થયો જ્યારે સરકારે કોઈપણ 'અનધિકૃત અવરોધ'નો ઇનકાર કર્યો હતો.</p> <p>તમને જણાવી દઈએ કે પેગાસસને ઈઝરાયેલ સ્થિત સાઈબર ઈન્ટેલિજન્સ અને સિક્યોરિટી ફર્મ NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ સ્પાયવેર 2016 થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે અને તે Q Suite અને Trident જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે. બજારમાં ઉપલબ્ધ આવા તમામ ઉત્પાદનોમાં તે સૌથી વધુ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. તે એપલની મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ iOS અને Android ઉપકરણોમાં પ્રવેશ કરી શકે છે. પેગાસસનો ઉપયોગ સરકારો દ્વારા લાયસન્સ આધાર પર કરવાનો હતો. મે 2019 માં તેના વિકાસકર્તાએ સરકારી ગુપ્તચર એજન્સીઓ અને અન્ય લોકો માટે પેગાસસનું વેચાણ મર્યાદિત કર્યું.</p> <p>NSO ગ્રૂપની વેબસાઈટના હોમ પેજ મુજબ, કંપની એવી ટેક્નોલોજી બનાવે છે જે "સરકારી એજન્સીઓને આતંકવાદ અને અપરાધને રોકવા અને તેની તપાસ કરવામાં મદદ કરે છે, વિશ્વભરમાં હજારો લોકોના જીવ બચાવે છે."</p> <p><strong>પેગાસસ સ્પાયવેર કેવી રીતે કામ કરે છે</strong></p> <p>ઈઝરાયેલના NSO ગ્રુપ દ્વારા વિકસિત પેગાસસ સ્પાયવેર iPhones અને Android ફોનમાં ઘૂસણખોરી કરવામાં સક્ષમ છે. હેકિંગમાં આ સોફ્ટવે WhatsApp ની એક ખામીનો ઉપયોગ કર્યો છે. આ સ્પાયવેર હાનિકારક લિંક અથવા મિસ્ડ વોટ્સએપ વિડીયો કોલ દ્વારા પ્રવેશ કરે છે. પછી તે ફોનના બેકગ્રાઉન્ડમાં ચુપચાપ સક્રિય થાય છે.</p> <p>આ રીતે, આ સ્પાયવેર ફોનના સંપર્કો, સંદેશાઓ અને અન્ય ડેટાની સંપૂર્ણ ઍક્સેસ મેળવે છે. આ સોફ્ટવેર યુઝરના ફોનના માઇક્રોફોન અને કેમેરાને પણ ઓટોમેટીક ઓન કરી શકે છે. વોટ્સએપે હવે આ ખામીને સુધારી છે.</p> <p><strong>ફોનમાં સ્પાયવેર કેવી રીતે પ્રવેશે છે</strong><strong>?</strong></p> <p>વોટ્સએપ વીડિયો કોલ યુઝરના ફોન પર આવે છે. એકવાર ફોનની રિંગ વાગે છે, હુમલાખોર હાનિકારક કોડ મોકલે છે અને આમ આ સ્પાયવેર ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને ઓપરેટિંગ સિસ્ટમ પર કબજો કરી લે છે. સ્પાયવેર સંદેશાઓ, કૉલ્સ, પાસવર્ડ્સની ઍક્સેસ મેળવે છે. તેની પાસે માઇક્રોફોન અને કેમેરાની પણ ઍક્સેસ છે, અને વપરાશકર્તાના ફોનમાં છૂપાઇ ગયા પછી આ સ્પાયવેર તમામ ડેટા અને ગુપ્ત જાણકારી ચોરી લે છે.</p>

from india https://ift.tt/3Gr2CAs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...