મુખ્ય સામગ્રી પર જાઓ

આજ રાતથી ST બસના પૈડા થંભી જશે ! કર્મચારીઓ હડતાળ પર જવા અડગ

<p>એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે. કેમ કે મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ ન સંતોષાતા એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.</p> <p>કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે. સાથે જ વાયદો કર્યા મુજબ કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીનાં પરિવારોને 25 લાખની સહાય પણ નથી મળી. ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.</p> <p>કર્મચારીઓએ આજ સુધીની રાજ્ય સરકારને મુદત આપી છે. જો આજ સુધીમાં આ માંગો નહી સંતોષાય તો આજે મધ્યરાત્રિથી ઉગ્ર વિરોધ શરૂ કરાશે. કર્માચારીઓ પણ માસ સીએલ પર જશે. જો એસટીનાં કર્મચારીઓ હડતાળ પર જશે તો દિવાળી સમયે જ નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડશે. જો કે ગઈકાલે મળેલી બેઠકમાં કોઈ સમાધાન ન આવતા આજે પણ સરકાર અને એસટી કર્મચારીઓના યુનિયનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાશે.</p> <p>એસટી નિગમના કર્મચારીઓની મંગળવારે મળેલી બેઠકમાં કર્મચારી સંગઠનો દ્વારા પોતાના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ સૂત્રોચાર કરી પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.</p> <p>નોંધનીય છે કે, ગુજરાત એસટીના ત્રણે&rsquo;ય માન્ય સંગઠ્ઠનોની બનેલ સંકલન સમિતિ દ્વારા ૨૬ ઓગસ્ટના રોજ બેઠક મળેલ હતી. જેમાં સર્વાનુમતે લીધેલા નિર્ણય મુજબ પડતર પ્રશ્નોનું આવેદન નિગમના એમડી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રીને આપવામાં આવ્યું હતું.</p> <p>એસટી નિગમના કર્મચારીઓ પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રાખીને લાભ આપવામાં આવેલ નથી જ્યારે અન્ય તમામ બૉર્ડના નિગમોના એકમોના કર્મચારીઓને લાભો આપવામાં આવ્યા છે.</p>

from gujarat https://ift.tt/3aRu383

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...