મુખ્ય સામગ્રી પર જાઓ

Uttarakhand Election:શું પંજાબના પ્રભારી પદ પરથી રાજીનામુ આપશે હરીશ રાવત? જાણો પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્રને શું આપી ચેતવણી

<p><strong>નવી દિલ્લી:</strong> ઉત્તરાખંડની ચૂંટણી 2022: હરીશ રાવતે કહ્યું કે, &lsquo;કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારી પ્રામાણિકપણે પૂરી કરી રહ્યો છું&rsquo;</p> <p><strong>Uttarakhand Assembly election 2022</strong></p> <p>કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે શુક્રવારે કહ્યું કે, તેમનું સમગ્ર ધ્યાન રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર છે. દહેરાદૂનમાં પત્રકાર પરિષદમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પંજાબના પ્રભારી પદેથી રાજીનામું આપશે, તો રાવતે સીધો જવાબ આપ્યો હતો કે, &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; સમગ્ર ધ્યાન ઉત્તરાખંડમાં યોજાનારી ચૂંટણીઓ પર છે.</p> <p>આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી છે. રાવતે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને જે જવાબદારી સોંપી છે, તે તેને પૂરી ઈમાનદારીથી પૂરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શનિવારે ગાંધી જયંતિ પર ગાંધીના મૂલ્યોને અનુસરવાનો તેમનો સંકલ્પ છે. રાવત હાલમાં પંજાબમાં કોંગ્રેસ બાબતોના પ્રભારી છે તેમજ ઉત્તરાખંડ કોંગ્રેસ ચૂંટણી સમિતિના પ્રમુખ પદની બેવડી જવાબદારી સંભાળી રહ્યા છે.</p> <p><strong>રાવતે કેન્દ્નને શું આપી ચેતાવણી</strong></p> <p>હરીશ રાવતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે, પંજાબની બહુમતી સરકારને ઉથલાવવાનો પ્રયાસ ન કરો. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે વાતચીત આગળ વધી છે. રાવતે કહ્યું કે ચન્ની દલિત મુખ્યમંત્રી છે અને તમામ પક્ષોએ તેમને સહકાર આપવો જોઈએ. "પરંતુ હું ભાજપની કેન્દ્ર સરકારને ચેતવણી આપું છું કે પંજાબની બહુમતી સરકારને ઉથલાવવાનો પ્રયાસ ન કરે."</p> <p>રાવતે ચેતવણી &nbsp;આપી કે, જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ઘણા સારા પગલા લઈ રહી છે જેમાં દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ સિવાય રેતી પરનું નિયંત્રણ પણ દૂર કરવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને સિદ્ધુ વચ્ચેના ઝઘડા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સમસ્યાનો અમુક ઉકેલ મળી જશે અને બંને નેતાઓ વચ્ચે વાતચીત સકારાત્મક રીતે આગળ વધી હતી.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2Ya0aMS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...