મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી, 10 નવેમ્બર સુધી આ વિસ્તારમાં પડશે વરસાદ, જાણો વિગતે

<p>અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં 10 નવેમ્બર સુધી માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ વધ્યું છે.</p> <p>દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. કમોસમી વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલા લઈ ખુલ્લામાં પડેલા પાકને નુકસાની ન થાય તેની તકેદારી રાખવા સ્થાનિક પ્રશાસને ખેડૂતોને સૂચના પણ આપી છે.</p> <p><strong>નવસારીમાં વરસાદ</strong></p> <p>માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. બીલીમોરા, ગણદેવી સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે ડાંગર સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.</p> <p>હવામાન વિભાગે સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશનના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ પડી શકે છે હળવા ઝાપટાં.</p> <p><strong>ઠંડીની આગાહી</strong></p> <p>કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું પણ જોર વધી રહ્યું છે. દિવસે દિવસે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે રવિવારે 11 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો નલિયામાં પણ ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ડિસામાં ઠંડીનો પારો 15.7 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વલસાડમાં ઠંડીનો પારો 16.5 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં ઠંડીનો પારો 16.9 ડિગ્રી પર પહોંચ્યો છે. ]</p> <p>અમદાવાદમાં ઠંડીનો પારો 17.1 ડિગ્રી, વડોદરામાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો સુરેંદ્રનગર ઠંડીનો પારો 17.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ તરફ વલ્લભવિદ્યા નગર અને ભૂજમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પર પહોંચ્યો છે. તો રાજકોટમાં ઠંડીનો પારો 19.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોર વધવાની આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે.</p>

from gujarat https://ift.tt/3wnwzNg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...