મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે પોસ્ટ મૂકનારા કેટલા પોલીસો સામે થઈ કાર્યવાહી એ જાણીને લાગશે આંચકો, 3 પોલીસને બદલી કરી ક્યાં મૂકી દેવાયા ?

<p><strong>અમદાવાદઃ</strong> પોલીસ કર્મચારી ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલનમાં સક્રિયતા બતાવનારા કુલ 571 પોલીસ કર્મચારીઓ સામે રાજ્ય સરકારે કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં થયેલી ફરિયાદની સંખ્યા પણ 19 પર પહોંચી છે. દરમિયાનમાં ગ્રેડ પેને સમર્થન આપનાર ત્રણ પોલીસની બદલી કરી દેવાઈ છે. એક મહિલા સહિત ત્રણ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. જેમની બદલી કરવામાં આવી છે તેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી , બોડકદેવ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મી અને સોલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની બદલી કરવામાં .આવી છે. આ તમામની કે. &nbsp;કંપની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરાઈ છે.</p> <p>પોલીસ કર્મચારી ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ રાજ્ય સરકારે પ્રશ્નોનાના નિરાકરણ માટે &nbsp;ખાસ કમિટીની રચના કરી હતી. સરકારે પોલીસોન તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. આ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ સૂચના આપી હતી કે, કોઇ પણ પોલીસ કર્મચારી &nbsp;પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આંદોલન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સૂચના છતાં હજુ પણ કેટલાંક પોલીસ કર્મચારીઓ સોશિયલ મિડીયા પર ગ્રેડ પે મામલે પ્રશ્નો ઉઠાવતા હોવાની જાણ થતાં તેમની સામે પગલાં લેવાયાં છે. અત્યાર સુધીમાં 571 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઇ છે. આ સંદર્ભમાં થયેલી ફરિયાદની સંખ્યા 19 પર પહોંચી છે.</p> <p>ગુજરાતમાં થોડા દિવસ પહેલા પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પેની જૂની માંગણી સંદર્ભમાં આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનના ત્રણ દિવસ બાદ રાજ્ય સરકારે પોલીસ પરિવાર સાથે મિટીંગ કરીને તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપીને પાંચ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સમયે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ પોલીસ કર્મીઓને &nbsp;ખાસ તાકીદ કરી હતી કે આંદોલનના પ્રશ્નોના નિરાકરણ ખાતરી બાદ પોલીસ કર્મચારીઓ જો સોશિયલ મિડીયાની મદદથી કે અન્ય કોઇ પણ રીતે આંદોલન ચલાવશે તો &nbsp;તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. &nbsp;આ પછી પોલીસ કર્મચારીઓના સોશિયલ મિડીયા પર સતત નજર રાખવામાં આવી રહી હતી. &nbsp;તેમાં બહાર આવ્યું હતું કે હજુ પણ રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓ વોટ્સએપના વિવિધ ગુ્રપમાં કે અન્ય રીતે ગ્રેડ પેના આંદોલન સંદર્ભની પોસ્ટ મૂકી રહ્યા છે.</p>

from gujarat https://ift.tt/3GLo977

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...