મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં માવઠાની આગાહી, આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે

<p>રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ વરસશે. તો આવતીકાલે આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહીના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. કેમ કે હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મગફળી ખેંચીને ખેતરમાં પાથરા કરેલા છે. તો કપાસને પણ ઉતારવાનો બાકી છે. જો માવઠું થશે તો મહેનત પર પાણી ફરી વળશે.</p> <p><strong>કાશ્મીર હિમવર્ષા</strong></p> <p>કાશ્મીર ખીણમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ પડ્યો, જેના કારણે સમગ્ર પ્રદેશના તાપમાનમાં વધુ ઘટાડો થયો. કુપવાડા અને ગાંદરબલમાં મહત્તમ હિમવર્ષા સાથે સમગ્ર પ્રદેશના પહાડી વિસ્તારોમાંથી હળવાથી મધ્યમ હિમવર્ષાના અહેવાલ છે</p> <p>હવામાન વિભાગ કાશ્મીરના ડાયરેક્ટર સોનમ લોટસે જો કે કહ્યું કે કાશ્મીરમાં કોઈ મોટી હિમવર્ષા થવાની કોઈ આગાહી નથી કારણ કે આવતીકાલથી હવામાન સુધરશે અને 6 થી 20 નવેમ્બર સુધી હવામાન મોટાભાગે સૂકું રહેશે. હવામાન વિભાગે ગુરુવારે રાતથી ઉત્તર કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રના અત્યંત પશ્ચિમના ભાગોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી હતી.</p> <p>ઉત્તર કાશ્મીરમાં, ખાસ કરીને ગુરેઝ અને માછિલ સેક્ટરમાં અને પશ્ચિમ લદ્દાખમાં ઝોજિલા-દ્રાસ અક્ષમાં હળવા અને મધ્યમ હિમવર્ષા અને વરસાદ થયો હતો. સોનમ લોટસે કહ્યું કે સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બનશે અને કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે, જ્યારે કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા થશે.</p> <p>ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે કાશ્મીરમાં 4 અને 5 નવેમ્બરે હિમવર્ષા અને વરસાદની આગાહી કરી હતી. આવી સ્થિતિમાં 4 નવેમ્બરે હવામાન સૂકું રહ્યું હતું, પરંતુ 5 નવેમ્બરની વહેલી સવારે હવામાનમાં પલટો આવ્યો હતો.</p>

from gujarat https://ift.tt/3bILlER

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...