મુખ્ય સામગ્રી પર જાઓ

દુલ્હને રીસેપ્શનમાં આવેલાં લોકો પાસે ખાવાના પ્લેટદીઠ 7300 રૂપિયા માંગ્યા, ભડકેલાં મહેમાનોએ શું કહ્યું ?

<p>લગ્નનું ભોજન દરેકને ગમે છે. કારણ કે લગ્નમાં અનેક પ્રકારના વ્યંજનો હોય છે. આવી સ્થિતિમાં જો તમે ક્યાંક લગ્નમાં જાઓ અને જમ્યા પછી તમારી પાસે ખાવાના પૈસા માંગવામાં આવે તો તમને કેવું લાગશે? તમે વિચારતા જ હશો કે લગ્નમાં ખાવાના પૈસા કોણ માંગે છે. પરંતુ એક એવા લગ્ન જે લોકોમાં ચર્ચામાં છે અને જ્યાં બીજું કોઈ નહીં પરંતુ દુલ્હન પોતે જ મહેમાનો પાસે ખાવા માટે પૈસા માંગે છે. કન્યાએ તેના લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી પૈસા માંગ્યા કારણ કે તેની અને દુલ્હા પાસે રિસેપ્શન પર ખર્ચ કરવા માટે પૈસા નહોતા.</p> <p>દુલ્હનએ લગ્નમાં આવનાર દરેક મહેમાન પાસેથી 7 હજાર રૂપિયાની માંગણી કરી હતી. દુલ્હનના મિત્રએ સોશિયલ મીડિયા પર આ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આગળ વાંચો શું છે આ સમગ્ર મામલો...</p> <p>વાસ્તવમાં, એક Reddit યુઝરે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, કેવી રીતે તેના મિત્ર (કન્યા)એ તેના લગ્નમાં મહેમાનોને ભોજન માટે 7,300 રૂપિયા માંગ્યા. દંપતીએ કહ્યું કે તે બંને રિસેપ્શનનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ છે. યુઝરે લખ્યું- "આમંત્રણ પર, દુલ્હનએ કહ્યું કે અમને ભોજન પરવડી શકતું નથી, તેથી વ્યક્તિ દીઠ ભોજનની પ્લેટ US $ 99 (7,300 રૂપિયા) હશે." સાથે જ યુઝરે જણાવ્યું કે લગ્ન તેના ઘરથી દૂર હતા. ત્યાં સુધી પહોંચવા માટે અમારે લગભગ ચાર કલાક ગાડી ચલાવવી પડી હતી. મતલબ કે વધુ પેટ્રોલ અને વધુ સમય બંનેનો વ્યય થયો.</p> <p>એક Reddit યુઝરે એ પણ જણાવ્યું કે લગ્ન સ્થળ પર એક બોક્સ મૂકવામાં આવ્યું હતું, જેના પર મહેમાનને પૈસા મૂકવાની અપીલ લખવામાં આવી હતી. બોક્સ પર લખ્યું હતું- 'ગેસ્ટ કપલના હનીમૂન, સારા ભવિષ્ય અને નવા ઘર માટે પૈસા મૂકી શકે છે.' આ પોસ્ટ પર યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું- તે આવા લગ્નના રિસેપ્શનમાં નહીં જાય, પછી ભલે તે તેની નજીક હોય. તે જ સમયે, બીજાએ લખ્યું - યુગલે આવું ન કરવું જોઈએ. જ્યારે એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે કદાચ તેમની પાસે ખરેખર પૈસા નહીં હોય.</p>

from world https://ift.tt/3wC8W3w

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...