મુખ્ય સામગ્રી પર જાઓ

Amereli : માતાએ બે દીકરીઓ સાથે કેરોસીન છાંટીને આપઘાત કરી લેતાં અરેરાટી, શું છે કારણ?

<p><strong>અમરેલીઃ</strong> ધારીના ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં ગઈ કાલે બપોરે માતાએ બે દીકરીઓ સાથે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી. આ બનાવને લઇને નાનકડા ચલાલા ગામ અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ.</p> <p>ધારી નજીક ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં રહેતા દેવમુરારી પરિવારના સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉંમર-40 વર્ષ તેમજ દીકરી હિતાલી ભરતભાઇ દેવમુરારી ઉંમર-14 વર્ષ અને 3 માસની દીકરી ખુશી ભરતભાઇ દેવમુરારીનું મોત નીપજ્યું છે. ચલાલા મુકામે રહીને ભરતભાઈ વેવસાઈ દળવાની ઘંટી ચલાવતા હતા બંને દીકરીઓની માતા સોનલબેન જાતે અને બન્ને દીકરીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.</p> <p>ઘટનાની જાણ આસપાસ લોકોને થતા તેઓએ તુરત જ સોનલબેનના પતિ ભરતભાઇ દેવમુરારીને જાણ કરી હતી, પરંતુ ભરતભાઇ ઘરે પહોંચે તે પહેલાં જ માતા અને બંને દીકરીઓ બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલાના ડીવાયએસપી કે.જે.ચૌધરી તેમજ ચલાલા પોલીસ ધારીના મામલતદાર અને ચલાલા નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પતિ અને પત્નીને ઘણા સમયથી ગૃહ કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઈને આજે માતાએ બંને પુત્રીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર વિગત સાવરકુંડલા ડીવાયએસપી એ જણાવી હતી.</p> <p>હરિધામ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આગ લાગી તેવી જાણ નગરપાલિકાને થતાં નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આસપાસના રહીશો દ્વારા આગને બુજવવામાં આવી હતી. બંને દીકરી અને માતાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ ઘરના ત્રણ વ્યક્તિ આત્મહત્યા કરી મોતને ભેટ્યા હતા. ત્રણે મૃતકને પી.એમ.અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા.</p> <p>રાજુલાઃ અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યાથી સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ છે. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી છે. આશ્રમમાં સાધ્વી તરીકે કામ કરતી મહિલાની આશ્રમમાં જ તીક્ષિણ હથિયાર વડે હત્યાથી ચકચાર મચી ગઈ છે.&nbsp;</p> <p>સમગ્ર પંથકમાં માતાજી તરીકે ઓળખાતી સાધ્વીની આશરે ઉંમર 45 હત્યાને લઈ પોલીસ દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામા ગામ લોકો દોડી ગયા હતા. પોલીસ દ્વારા હત્યારાને શોધવા કવાયત શરૂ કરી છે. જોકે, સાધ્વીની હત્યા કોણે અને કેમ કરી તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3FwouJe

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...