<p>જસદણમાં શનિવારે યોજાયેલા પાટીદાર સંમેલનમાં હાલમાં ચર્ચામાં એવા નોન-વેજ અને ઈંડાંનો મુદ્દો પણ ઉઠ્યો હતો. રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (BAPS)ના સ્વામી નારાયણ મંદિરના મહંત અપૂર્વ મુનિ સ્વામીએ પાટીદારોને ઈંડા અને નોનવેજ ખાવાનું બંધ કરવાનું કહીને અપીલ કરી કે, પાટીદાર સમાજનાં લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. તેમણે કહ્યું કે, સરદાર પટેલનું માથું શરમથી ન ઝૂકી જાય તેનો ખ્યાલ રાખો. તેમણે કહ્યું કે, ખૂબ જ હિંમત કરી આ નિવેદન કરી રહ્યો છું અને પાટીદાર સમાજ ઈંડા અને નોનવેજ ખાવાનું બંધ કરે એ જરૂરી છે.</p>
from gujarat https://ift.tt/3c85Jzt
from gujarat https://ift.tt/3c85Jzt
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો