મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદઃ ઉમિયાધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું, જાણો વિગતે

<p><strong>અમદાવાદઃ</strong> શહેરના સોલા વિસ્તારમાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામના ભૂમિપૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીએ આ દરમિયાન સ્ટેજ પર બહુજ હળવા શબ્દોમાં પોતાની ભાષણ આપ્યુ હતુ. મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે, જે જનારા હતા તે જતા રહ્યાં..... &nbsp;</p> <p>મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન સ્ટેજ પરથી કહ્યું કે, એનાઉન્સર બહેને કહેયું માત્ર બે સ્પીચ બાકી છે કોઇ એ જવું નહી, પણ જવાવાળા તે જતા રહ્યા થોડા આપણા કીધા રોકાશે. મુખ્યમંત્રીના આવા નિવેદન બાદ બધા હંસવા લાગ્યા હતા. મુખ્યમંત્રીનુ આ નિવેદન ખુબ ચર્ચાનો વિષય બન્યુ હતુ. સીએમે વધુમાં કહ્યું કે, આયોજન જ એવું હોય કે મુખ્યમંત્રી છેલ્લે બોલે, એમાંય નિતિનભાઇનુ ભાષણ હોય પછી કંઇ બાકી જ ન રહે, મંદિરનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે માતાજીના આશીર્વાદ હોય, જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને મારી ટીમ હાજર હશે, દરેક સમાજના ઉત્થાન માટે સરકાર કટિબધ્ધ છીએ. આવનારા દિવસોમાં ફાઇનાન્સમાં ખુબ મોટું રોટેશન થવાનું છે.&nbsp;</p> <p><br /><strong>'જ્યારે જરૂર પડે ત્યારે વિરાટ સ્વરૂપ બતાવવુ પડશે' -ઊમિયાધામના ભૂમિપૂજનમાં બોલ્યા નીતિન પટેલ</strong></p> <p>અમદાવાદઃ અમદાવાદના સોલામાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ સોલાના આ કાર્યક્રમમાં ઊમિયાધામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સ્ટેજ પરથી ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ.&nbsp;</p> <p>સ્ટેજ પરથી નીતિન પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ જેટલા નમ્ર વ્યક્તિ મે આજ સુધી જોયા નથી. હું તેમને રોજ ટીવી પર જોઉં છું. ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે મારા ઘરે પ્રૉટોકૉલ તોડીને મને મળવા આવ્યા હતા, તેમને કહ્યું હતુ કે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.&nbsp;</p> <p>પાટીદાર સામાજિક સંસ્થાઓમાં વિખવાદોને લઇને પણ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું હતુ, આ સંસ્થા અને વિશ્વ ઉમિયાધામ બન્ને સંસ્થા આપણી છે, નવા મંદિરો બનવાથી મુખ્ય મંદિર ઊંઝાધામનું કોઇ મહત્વ ઘટવાનું નથી, તેમને ટકોર કરતાં કહ્યું કે, બોલવાનું કામ અને કરવાનું કામ ન કરો, સ્ટેન્ડ એકજ રાખો બધા અને સાથે રહો. જેમાં ભાગ પડ્યા, જેનો વિવાદ થયો તેનું ક્યારે કોઇ માન રહેતું નથી. નીતિન પટેલે વધુમાં કહ્યું વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખવી પડશે. વિરાટ સ્વરૂપ ત્યારે બતાવી શકીએ જ્યારે સમાજમાં એકતા હોય</p>

from gujarat https://ift.tt/328Rvwe

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...