મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે કરી મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું

<p>ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકલો પણ ચાલી રહી છે.</p> <p>ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકલો પણ ચાલી રહી છે. જો કે આ બધા જ વચ્ચે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટિલે એક મહત્વનું નિવેદન આપ્યું છે.</p> <p>હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના ક્યા માસ અને તારીખે યોજાશે તે અંગે અટકળો તેજ થઇ ગઇ છે. ઉલ્લેખનિય છે કે, આગામી વર્ષમાં અન્ય પાંચ રાજ્યોની પણ ચૂંટણી યોજાવા જઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે મુદ્દે સ્પષ્ટતા કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યું કે,&rdquo; ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત&nbsp;5&nbsp;રાજ્યોની&nbsp;વિધાનસભા&nbsp;ચૂંટણી&nbsp;તેના નિયત&nbsp;સમયે&nbsp;એટલે કે 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે પરંતુ &nbsp;ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજવાઇ તેવી શક્યતા ઓછી છે.તેમણે કહ્યું કે, ગુજરાત&nbsp;વિધાનસભાની&nbsp;ચૂંટણી&nbsp;ડિસેમ્બરમાં&nbsp;તેના&nbsp;નિયત&nbsp;સમયે&nbsp;જ&nbsp;થશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની અટકલો પર &nbsp;પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 7 નવેમ્બરે દિલ્લીમાં ભાજપ કારોબારીની બેઠક યોજાઇ હતી. આ બેઠક વિશે વાત કરતા સી. આર. પાટિલે કહ્યું હતું કે, કોરોના બાદ આ પહેલી કાર્યકારિણીની બેઠક હોવાથી કોરોનાથી મૃત્ય પામેલા નેતાને શ્રદ્ધાજલિ આપીને 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું.</p> <p>કોવિડના સમયમાં &nbsp;&nbsp;PM મોદીનું સમર્થ નેતૃત્વ અને સૌથી મોટા અને ઝડપી રસીકરણને પાર કરીને&nbsp; 100 કરોડના આંકડો પાર કરવા બદલ ઉપસ્થિત નેતાઓ PM મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાળીઓથી તેમના સમર્થ નેતૃત્વને વધાર્યં હતું.</p> <p>નોંધનિય છે,. 7 નવેમ્બર યોજાયેલ કોરાબારીની બેઠકમાં&nbsp; વર્ચ્યુઅલી ગુજરાતમાંથી&nbsp; કમલમથી ગુજરાતમાંથી&nbsp;&nbsp;મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જોડાયા હતા.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3F7yBEj

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...