મુખ્ય સામગ્રી પર જાઓ

જૂનાગઢના યુવકને તાપીને યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, યુવતીએ સાથે રહેવા જીદ કરી ને પછી તો....

<p><strong>અરવલ્લીઃ</strong> બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મહિલા અને બાળકની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેમ સબંધમાં પ્રેમીએ મિત્રની મદદગારીથી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓએ ટીવી સિરિયલથી પ્રેરાઈને હત્યાને અંજામ આપ્યો હતો.&nbsp;પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3.20 લાખ રોકડ સાથે હત્યામાં વપરાયેલા મુદ્દામાલ કબ્જે લીધો છે.&nbsp;પોલીસે રાજકોટથી બે હત્યારા ને ઝડપી લઈ વધુ તપાસ હાથ છે.&nbsp;</p> <p>પોલીસે આપેલી વિગતો પ્રમાણે, આ મહિલા સાથે જૂનાગઢના બીલખા તાલુકાના સુરેશભાઈ મેરને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. મહિલા પ્રેમી સાથે રહેવા માંગતી હતી. આ બાબતે તકરાર થતી હોવાથી સુરેશે પોતાના મિત્ર સાથે મળીને દોઢ મહિના પહેલા પ્રેમિકાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. બનાવના ત્રણ દિવસ પહેલા સુરેશ જૂનાગઢથી નીકળ્યો હતો અને મિત્ર ગાંડુભાઈને રાજકોટથી સાથે લીધો હતો અને ત્યાંથી તેઓ સુરત ગયા હતા. અહીં પ્રેમિકા અને તેનો પુત્ર 3.20 લાખ રૂપિયા જેવી રકમ લઈને આવ્યા હતા. સુરેશે પહેલાથી જ તેની હત્યા કરવાનું નક્કી કર્યું હોવાથી પ્લાન પ્રમાણે તેમને લઈને ડાકોર સંબંધીને ત્યાં ગયા હતા.&nbsp;</p> <p>જોકે, અહીં હત્યાને અંજામ ન આપી શકાતા પ્રેમિકા અને તેના પુત્રને સાઠંબાના જંગલમાં લઈ આવ્યા હતા. તેમજ સોમવારે રાતે પ્રેમિકા અને તેના પુત્રની દોરડાથી ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. સુરેશની વધુ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, સિરિયલો જોઇને આ રીતે હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા પછી તળાવની પાળે લાશો ફેંકી દીધી હતી. તેમજ 60 હજારની કિંમતના દાગીના અને મોબાઇલ લઈ લીધા હતા. તેમજ હત્યાને અંજામ આપીને રાજકોટ નાસી ગયા હતા. જોકે, પોલીસે તેમને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યા છે.&nbsp;</p> <p>અગાઉ માતા પુત્રની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો હતો. માતા પુત્ર તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું હતું. ૫૧ વર્ષીય માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી હતી. બંને મૃતદેહોને કોણ કેવી રીતે ફેંકી ગયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટિમો તપાસ કરી રહી હતી.</p> <p>બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવારે બપોરે હત્યા કરાયેલી મહિલા તથા બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી હતી. બાળકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. તો મહિલાના શરીરના ભાગે તેમજ આંખમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા.&nbsp;</p> <p>ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ સાડી પહેરેલી હતી અને બાળકે જીન્સ પેન્ટ તથા ટી-શર્ટ પહેરેલી લાશ મળી આવી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3E59S3y

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...