મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં ઓક્ટોબર મહિનામાં જ કેટલા લાખ લોકોએ નોકરી ગુમાવી તેનો આંકડો જાણીને લાગશે આઘાત, જાણો વિગત

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાનો પ્રકોપ હળવો થયા બાદ વેપાર ધંધા રાબેતા મુજબ થયા છે. પરંતુ આ બધા વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર દેશમાં રોજગારીની તકો હોવાની ભલે વાતો કરતી હોય પણ વાસ્તવિકતા એ છે કે ઓક્ટોબર માસમાં દેશમાં 54 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવવી પડી છે.</p> <p><strong>CMIEના રિપોર્ટમાં શું થયો ખુલાસો</strong></p> <p>સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડા મુજબ ઑક્ટોબરમાં ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા ૫૪.૬ લાખ ભારતીયોએ નોકરી ગુમાવી છે, જે દર્શાવે છે કે એક બાજુ જોબ માર્કેટમાં નવી ભરતીઓ વધી રહી છે પરંતુ બીજી બાજુ શ્રમ બજારમાં લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે. ઓક્ટોબરમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, છૂટક વેપાર અને શિક્ષણ ક્ષેત્રે રોજગાર સર્જનની સંખ્યાએ એકંદરે નોકરીમાં આંશિક ઘટાડો થયો છે.</p> <p>નવા માસિક રોજગાર ડેટા અનુસાર, ઓક્ટોબરમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા ૪૦.૦૭ કરોડ હતી, જે સપ્ટેમ્બરમાં નોંધાયેલ ૪૦.૬૨ કરોડથી ઓછી છે. શ્રમ દળનો ભાગીદારી દર અને રોજગારી દર બંને સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં ઘટયા હતા. નેશનલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) સપ્ટેમ્બરમાં ૪૦.૬૬ ટકા હતો, તે ઓક્ટોબરમાં ઘટીને ૪૦.૪૧ ટકા થયો છે. આ રેટ ઓગસ્ટમાં ૪૦.૫૨ ટકા હતો.</p> <p><strong>શહેરો કરતાં ગામડાની હાલત ખરાબ</strong></p> <p>શહેરોમાં કામકાજ વધતા સપ્ટેમ્બરની તુલનાએ વધારે ઓક્ટોબરમાં ૭.૧૨ લાખ નવી રોજગારી સર્જાઇ છે. પરંતુ ગ્રામીણ ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક નોકરીઓમાં ૬૦ લાખથી વધુ કામદારો ઘટયા છે. વિવિધ ક્ષેત્રો પ્રમાણ જોઇએ તો સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં ઔદ્યોગિક ક્ષેત્રમાંથી લગભગ ૭૦ લાખ લોકો બહાર થઇ ગયા છે, જેનું કારણ મોટાભાગે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોજગારીમાં ઘટાડો છે. સેવા ક્ષેત્રે રોજગારી જળવાઇ રહી છે. &nbsp;અર્થશાસ્ત્રીઓએ કહ્યુ કે, જોબ માર્કેટ મિશ્ર સંકેત આપી રહ્યા છે- જ્યારે શહેરી જોબ માર્કેટમાં સુધારો થઈ રહ્યો છે, ત્યારે ગ્રામીણ ક્ષેત્રો ગંભીર સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.</p> <p><strong>પેટાચૂંટણીમાં હાર માટે મોંઘવારી જવાબદાર</strong></p> <p>હિમાચલ પ્રદેશની પેટા ચૂંટણીમાં હાર માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર દોષારોપણ કરીને કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે પ્રદેશમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઠાકુરના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચ્યો છે.</p>

from india https://ift.tt/3mCpuVN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...