વાયબ્રન્ટ સમિટ માટે દિલ્લી ગયેલા CM ભૂપેન્દ્ર પટેલ ક્યા ટોચના વિદેશી ઉદ્યોગપતિને મળ્યા ? 16 હજાર કરોડના રોકાણની વિગતો મેળવી
<p><strong>નવી દિલ્લીઃ </strong>મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવીદિલ્લીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરુઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી.<br />મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.</p> <p>મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નું પણ આમંત્રણ આપ્યું હતું.</p> <p>મુખ્યમંત્રી આ સિવાય દિલ્લીમાં વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક કરશે અને વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરશે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">રાજધાની નવી દિલ્હી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શો ના પ્રારંભે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરુઆત કરી હતી.આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના M.D અને CEO શ્રી કેનીચી આયકાવા સાથે બેઠક કરી 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો મેળવી હતી. <a href="https://t.co/GAnf5ZOi00">pic.twitter.com/GAnf5ZOi00</a></p> — Bhupendra Patel (@Bhupendrapbjp) <a href="https://twitter.com/Bhupendrapbjp/status/1463718083793539073?ref_src=twsrc%5Etfw">November 25, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્લી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.</p> <p>નોંધનીય છે કે 10 જાન્યુઆરીએ PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.</p>
from gujarat https://ift.tt/30ZUcjE
from gujarat https://ift.tt/30ZUcjE
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો