મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccination: આ 7 હિન્દી ભાષી રાજ્યોમાં 5 કરોડથી વધારે લોકોએ નથી લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ, જાણો કયું રાજ્ય છે મોખરે

<p><strong>Corona Vaccination:</strong> કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશભરમાં &nbsp;લોકોને રસી લેવાની અપીલ કરવામાં આવી રહી થછે. લાખો લોકો દરરોજ વેક્સિન લઈ રહ્યા છે પરંતુ કેટલાક લોકો હજુ પણ રસી લેતા અચકાઈ રહ્યા છે.</p> <p>એક હિન્દી દૈનિકના રિપોર્ટ પ્રમાણે દેશમાં હજુ 18 વર્ષથી મોટી ઉંમરના 19 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો નથી. આ મામલે બિહાર અને ઝારખંડ સૌથી મોખરે છે. બિહાર, ઝારખંડ, રાજસ્થાન, એમપી, પંજાબ, હરિયાણા અને છત્તીસગઢમાં 20 નવેમ્બરની સાંજ સુધીમાં 5.39 કરોડ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર આ 7 રાજ્યોમાં પુખ્તોની સંખ્યા 26.59 કરોડ છે. આ સ્થિતિમાં જોઈ કોઈ બેદરકારી દાખવે તો ત્રીજી લહેરનો ખતરો વધી શકે છે.</p> <p>બિહારઃ બિહારમાં વયસ્કોની કુલ વસતિ 7.22 કરોડ છે. જેમાંથી 1.99 કરોડ લોકોએ હજુ સુધી પ્રથમ ડોઝ લીધો નથી. બિહારમાં 27.70 ટકા લોકોએ હજુ વેક્સિન લીધી નથી. જ્યારે પટના જેવા મોટા શહેરનીવાત કરીએ તો 45,87,998 લાખની વસતિમાંથી 11,09,081 લાખ લોકોએ વેક્સિન નથી લગાવી.</p> <p>ઝારખંડઃ વયસ્કોની કુલ વસતિ 2.60 કરોડ છે. જેમાંથી 1.01 કરોડ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. ઝારખંડમાં 38.84 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો નથી. રાંચીમાં16,48,464 લાખ માંથી 85,571 લોકોએ રસી નથી લીધી.</p> <p>રાજસ્થાનઃ રાજસ્થાનમાં વયસ્કોની વસતિ આશરે 5.13 કરોડ છે. જેમાંથી 82.82 લાખ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. રાજસ્થાનમાં 16.14 ટકા લોકોએ હજુ વેક્સિન નથી લીધી. જ્યારે જયપુરમાં 47,96,056 લાખ લોકોની વસતિમાંથી 1,66,329 લોકોએ રસી લીધી નથી.</p> <p>મધ્યપ્રદેશઃ વયસ્કોની 5.53 કરોડની વસતિતિમાંથી 47.37 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. 8.56 ટકા લોકોએ રસીનો ડોઝ નથી લીધો. ભોપાલમાં 21,42,851 લાખ વયસ્ક વસતિમાંથી 1,14,945 લાખે વેક્સિન નથી લીધી.</p> <p>છત્તીસગઢઃ વયસ્ક વસતિ લગભગ 1.89 કરોડ છે. જેમાંથી 32.52 લાખ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. છત્સીસગઢમાં 17.20 ટકા લોકોએ હજુ રસી નથી લીધી. રાયપુરમાં 16,40,567 લાખ માંથી 50,742 લાખે વેક્સિન નથી લીધી.</p> <p>હરિયાણાઃ પુખ્તોની વસતિ આશરે 2.01 કરોડ છે, જેમાંથી 17.96 લાખ લોકોએ કોરોના વેક્સિન નથી લીધી. રાજ્યમાં 8.94 ટકા લોકોએ હજુ સુધી વેક્સિન નથી લીધી. કરનાલ શહેરમાં 11,25,729 લાખમાંથી 1,07,619 લાખ લોકોએ વેક્સિન નથી લીધી.</p> <p>પંજાબઃ વયસ્ક વસતિ 2.21 કરોડ છે, જેમાંથી 58.42 લાખ લોકોએ પ્રથમ ડોઝ નથી લીધો. રાજ્યમાં 26.43 ટકા લોકોએ વેક્સિન લીધી નથી. જાલંધરમાં 15,51,497 લાખ વયસ્કોમાંથી 93,257 લાખે વેક્સિન નથી લીધી.</p>

from india https://ift.tt/3cF8Z5G

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...