મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus: આ રાજ્યની સ્કૂલમાં એકસાથે 288 વિદ્યાર્થી સંક્રમિત થતા ફફડાટ, જાણો વિગત

<p><strong>Coronavirus:</strong> કોરોના કાળમાં આશરે દોઢ વર્ષ સુધી સ્કૂલો બંધ રહ્યા બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ થવા લાગ્યું છે. ગુજરાતમાં પણ આજથી ધો.1 થી 5ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન તેલંગાણાથી એક ડરાવનારા સમાચાર સામે આવ્યા છે.</p> <p>તેલંગાણાના ખમ્મ જિલ્લી સરકારી રેસિડેન્સિયલ સ્કૂલના 288 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના ફેલાયો હોવાની જાણકારી મળતાં જ વિદ્યાર્થીઓના માતા-પિતા સ્કૂલે પહોંચી ગયા અને બાળકોને ઘરે મોકલવાની અપીલ કરી હતી. સ્વાસ્થ્ય વિભાગે શિક્ષકો સહિત તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો સામૂહિક કોરોના ટેસ્ટ કરવાનો ફેંસલો કર્યો છે. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં 575 વિદ્યાર્થી છે.</p> <p>તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી ટી.હરીશ રાવે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને ફોન કર્યો અને સંક્રમિત વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તેમણે અધિકારીઓને શ્રેષ્ઠ સારવાર આપવા અને કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના ઉપાયો કરવા આદેશ આપ્યો હતો.</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8488 નવા કેસ નોંધાયા છે અને 249 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12.510 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 538 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. &nbsp;દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,18,443 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5080 કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 116,87,28,385 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 32,99,337 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.&nbsp;ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,25,24,459 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 7,83,5679 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.</p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413</li> <li>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218</li> <li>એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443</li> <li>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</li> </ul>

from india https://ift.tt/3kU7q87

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...