મુખ્ય સામગ્રી પર જાઓ

H-1B Visa: H1 B વિઝાધારકો માટે મોટા સમાચાર, ભારતીયો જાણીને થઈ જશે ખુશ

<p><strong>H-1B Visa:&nbsp;</strong>&nbsp;એચ1 B વિઝા ધારકો માટે મોટા સમાચાર છે. આ સમાચાર વાંચીને અમેરિકામાં રહેતા એચ1 બી વિઝા ધારકો આનંદથી ઝૂમી ઉઠશે. અમેરિકામાં એચ-૧બી વિઝા મારફત કામ કરી રહેલા પ્રોફેશનલ લોકોના જીવનસાથીને પણ હવે અમેરિકામાં નોકરી કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે. બાઈડેન સરકાર એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને ઓટોમેટિક (આપમેળે) નોકરીની મંજૂરી આપવા પર કામ કરી રહી છે. બાઈડેન સરકારના આ પગલાંનો સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળશે. અમેરિકાના એચ-૧બી વિઝા ભારતીય પ્રોફેશનલ્સમાં સૌથી વધુ&nbsp; લોકપ્રિય છે. બાઈડેનનું આ પગલું હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને લાભ કરાવશે.</p> <p><strong>એચ1 બી વિઝાધારકના પતિ કે પત્નીએ કયા વિઝા લેવા પડતા હતા</strong><br />અમેરિકન સરકારે એક કાયદાકીય કાર્યવાહીના પગલે આ નિર્ણય લીધો છે. અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશન (એઆઈએલએ)એ આ વખતે ઉનાળામાં પ્રવાસીઓના જીવનસાથી તરફથી કેસ નોંધાવ્યો હતો. અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા તરફથી એચ-૧બી વિઝાધારકોના એકદમ નજીકના સ્વજનો (એટલે કે પતિ, પત્ની અથવા ૨૧ વર્ષથી ઓછી વયના સંતાનો)ને આ સુવિધા અપાશે. તેમને અગાઉ નોકરી કરવા માટે મંજૂરી મેળવવા એચ-૪ વિઝા લેવા પડતા હતા. આ વિઝા અમેરિકામાં રોજગાર આધારિત કાયદેસરના પીઆરના દરજ્જા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી હોય તેવા લોકોને અપાય છે.</p> <p><strong>હવે શું થશે બદલાવ</strong><br />આ ઉનાળામાં ઈમિગ્રન્ટ્સના જીવનસાથીઓ તરફથી અમેરિકન ઈમિગ્રેશન લોયર્સ એસોસિએશને કેસ કર્યો હતો. ત્યાર પછી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને વર્ક પરમિટ આપવા સમજૂતી કરી હતી. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ વિરુદ્ધ ૧૫ પ્લેન્ટિફ (જેમાં મોટાભાગે ભારતીય પતિ-પત્ની છે) દ્વારા દાખલ એક ક્લાસ-એક્શન સૂટ મુજબ એક સમજૂતી કરાઈ હતી. આ સમજૂતી મુજબ જે લોકો ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર પર અમેરિકામાં નિયુક્ત છે, તેમના જીવનસાથીએ હવે અમેરિકામાં કામ કરવા માટે વર્ક ઓથોરાઈઝેશન માટે અરજી કરવી પડશે નહીં</p> <p><strong>શું છે એચ-1 બી અને એચ-4બી વિઝા</strong><br />એઆઈએલએના ઝોન વાસડેને તેમની અરજીમાં કહ્યું હતું કે, એચ-૪બી વિઝાધારકો એવા લોકો છે, જેમણે હંમેશા રોજગારની સંમતિના દસ્તાવેજો ઓટોમેટિક લંબાવવા માટે નિયમનકારી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને થિયરોટિકલ અથવા ટેક્નિકલ નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓની જરૂરિયાત પૂરી કરે છે. અમેરિકન કંપનીઓ એચ-૧બી વિઝા મારફત ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રત્યેક વર્ષે હજારો પ્રોફેશનલ્સની ભરતી કરે છે. એચ-૪ વિઝા એવા લોકોને અપાય છે, જે તેમના સ્વજન હોય અને એચ-૧બી વિઝાધારકો સાથે મળીને અમેરિકામાં રહે છે. જોકે, હવે નવા નિર્ણય મુજબ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસની નીતિઓ હેઠળ એચ-૪ વિધાઝારકો પર પહેલા જે સ્ટે મૂકાયો હતો તે હવે નહીં લાગે.<br />એઆઈએલએએ જો બાઈડેન તંત્રના આ નિર્ણયને મોટી ઉપલબ્ધી ગણાવતા કહ્યું કે, ઓબામા તંત્રે કેટલાક વિશેષ એચ-૧બી વિઝાધારકોના જીવનસાથીને કામ કરવાની મંજૂરી આપી હતી. તેમના ચૂકાદા પછી અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધુ એચ-૪બી વિઝાધારકોને કામ કરવાની મંજૂરી મળી ચૂકી છે, તેમાં મોટાભાગે ભારતીય-અમેરિકન મહિલાઓ છે.</p>

from world https://ift.tt/2YHJahT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...