મુખ્ય સામગ્રી પર જાઓ

Lockdown News: કોરોનાના કેસો વધતાં દુનિયાના ક્યા ક્યા દેશોમાં લાદી દેવાયું લોકડાઉન ? જાણો સંપૂર્ણ વિગત

<p><strong>Lockdown News:</strong> કોરોના હજુ ગયો નથી. વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. જેને લઈ ત્યાં ફરીથી લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કરેલા ડેટા મુજબ ગત સપ્તાહે યુરોપમાં કોરોના વાયરસથી મોતની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. ગત સપ્તાહે અહીં કેટલા વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. ઓછું રસીકરણ થયેલા રશિયા અને પૂર્વ યુરોપમાં પણ કોરોના વકર્યો છે, જ્યારે જર્મની ને બ્રિટનમાં વિશ્વના સર્વોચ્ચ નવા કોરોના કેસ નોંધાયા છે.</p> <p>યુરોપિયન યુનિયનના 27 માંથી 10 દેશોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા મુજબ, બેલ્જિયમ, બુલ્ગેરિયા, ક્રોશિયા, ચેક રિપબ્લિક, ગ્રીસ, હંગ્રી, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્લોવેનિયા જેવા દેશોને સૌથી વધારા ચિંતાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. કેટલાક દેશોએ ફરીથી લોકડાઉન નાંખ્યું છે.</p> <p><strong>ઓસ્ટ્રિયાઃ</strong> આ દેશમાં રસી નહીં લીધેલા લોકો પર બે સપ્તાહનું લોકડાઉન નાંખવામાં આવ્યું છે. અપર ઓસ્ટ્રિયા અને સાલ્ઝબર્ગમાં રસી નહીં લેનારા લોકોને બે સપ્તાહ સુધી કોઈ જરૂરી કારણ જેવાકે કરિયાણું ખરીદવા કે તબીબી તપાસ જેવા કારણોસર જ બહાર નીકળવા દેવામાં આવશે.</p> <p><strong>નેધરલેન્ડઃ</strong> કોરોનાના કેસ વધતાં નેધરલેન્ડમાં ત્રણ સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવાયું છે. જે અંતર્ગત શનિવારની રાત્રે બાર, રેસ્ટોરન્ટ અને સુપરમાર્કેટ રાત્રે 8 વાગ્યા બાદ બંધ રહેશે.પ્રોફેશનલ મેચો મેદાનમાં દર્શકો વગર યોજાશે અને લોકોને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. જીવન જરૂરિયાતની ન હોય તેવી વસ્તુ વેચતાં સ્ટોર્સને સાંજે 6 વાગ્યા બાદ બંધ કરવાનો આદેશ અપાયો છે.</p> <p><strong>જર્મનીઃ</strong> જર્મનીના ડિસીઝ કંટ્રોલ સેન્ટરે લોકને મોટા મેળાવડા ટાળવા અપીલ કરી છે. અહીં ઈન્ફેક્શન રેટ વધી રહ્યો હોવાથી લોકોને તેમના રૂબરુ સંપર્કો ઘટાડવા અપીલ કરવામાં આવી છે. અહીં પ્રથમ વખત કોરોના કેસનો દૈનિક આંકડો 50 હજારને પાર થયો છે. આ ઉપરાંત જર્મન લોમેકર્સ દ્વારા જાહેર સ્થળોએ ફરીથી માસ્ક અને ડિસ્ટન્સ અમલી બનાવાયું છે.</p> <p><strong>આઈસલેન્ડઃ</strong> આ મહિનાની શરૂઆતમાં આઈલસેન્ડ સંપૂર્ણ રસીકરણ થઈ ચૂકેલા પ્રવાસીઓ પરના પ્રતિબંધ હટાવી દીધા હતા. પરંતુ હવે ફરીથી 50 થી 500 લોકોની મર્યાદીત માત્રામાં ભેગા થવાની મંજૂરી અપાઈ છે. ઉપરાંત સ્વીમિંગ પુલ અને સ્પોર્ટ્સ હોલ 75 ટકા કેપિસિટી સાથે ખોલી શકાશે.</p> <p><strong>ચેક રિપબ્લિકઃ</strong> અહી સરકાર દ્વારા 22 થી 29 નવેમ્બર દરમિયાન બાળકોને કોવિડ ટેસ્ટ કરવાનો આદેશ અપાયો છે. બે લહેરમાં અહીં 14 લાખ બાળકો સંક્રમિત થયા હોવાથી આ નિર્ણય કરાયો છે.</p> <p><strong>નોર્વેઃ</strong> એએફપીના રિપોર્ટ પ્રમાણે, કોરોનાના કેસ વધતાં રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થ પાસને ફરીથી ફરજીયાત કરવામાં આવ્યો છે.</p>

from world https://ift.tt/3DkbF4k

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...