મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં LRDની ભરતી માટે ક્યારથી અપાશે કોલ લેટર ? ક્યારથી શરૂ થશે શારીરિક કસોટી ? જાણો હસમુખ પટેલની મોટી જાહેરાત

<p><strong>ગાંધીનગરઃ</strong> રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે મંગળવારે છેલ્લ દિવસ છે ત્યારે લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, &nbsp;આ પરીક્ષા માટે 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.</p> <p>તેમણે કહ્યું કે, એલઆરડી ભરતી માટે આજે અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ છે અને રાત્રે 11.59 મિનિટ સુધી અરજી સ્વીકારી શકાશે. એ પછી બુધવાર એટલે કે આવતી કાલથી 12 તારીખ સુધી ફી ભરી શકાશે. ત્યાર બાદ 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે અને 9 ડીસેમ્બરથી 10 ડિસેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે. 10 ફેબ્રુઆરી આસપાસ શારીરિક કસોટી પૂરી થશે અને માર્ચ મહિના આસપાસ લેખિત પરીક્ષા લેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે, આ ટાઈમ ટેબલને ધ્યાને રાખીને ઉમેદવારો તૈયારીઓ કરે.</p> <p>તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 11 લાખ 75 હજાર અરજીઓ થઈ છે ને તેમાંથી કુલ 9.10 લાખ અરજીઓ કંફર્મ થઈ છે. આ પૈકી 6.65 લાખ પુરુષ ઉમેદવારોએ અરજી કરી છે જ્યારે 2.45 લાખ મહિલા ઉમેદવારોએ અરજી કરી છે. આજે રાત્રે 11.59 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે એ વાતનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે, લોભ લાલચ આપતા તત્વોથી ઉમેદવારો સાવચેત રહે.</p> <p><strong>ગુજરાતમાં LRD ભરતીમાં લાખો ઉમેદવારોને મોટી રાહત, બોર્ડના પ્રમુખે શું કરી મોટી જાહેરાત ?</strong><br />રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો આજે મંગળવારે છેલ્લ દિવસ છે ત્યારે લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે.</p> <p>આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ સોમવારે ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે, લોક રક્ષક દળ (LRD)માં ફોર્મ ભરવા માટે કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી. હસમુખ પટેલની આ સ્પષ્ટતાના કારણે લાખો ઉમેદવારોને મોટી રાહત થઈ છે.</p> <p>લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે સ્પષ્ટતા કરી કે, આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે તેથી લોક રક્ષક દળ (LRD)માં ફોર્મ ભરવા માટે કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ માટે રૂપિયા 19, &nbsp;950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બર ને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3H4n7U0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...