મુખ્ય સામગ્રી પર જાઓ

Omicron: વૃંદાવનમાં ચાર યુરોપીયનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણીતો આશ્રમ જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન

<p><strong>આગ્રાઃ</strong> દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ભારતની મોદી સરકાર પણ આ નવા વેરિઅન્ટને લઈ સતર્ક બની છે અને રાજ્યોને કડક પગલાં લેવાની સૂચના આપી છે. આ દરમિયાન વૃંદાવનમાં ચાર વિદેશી પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચ્યો છે. આ તમામ લોકો થોડા દિવસ પહેલા ગિરધર છાયા આશ્રમમાં આવ્યા હતા. આ પહેલા અહીંયા ત્રણ વિદેશીને પણ કોરોના થયો હતો. જેને લઇ હાલ તંત્ર દ્વારા આશ્રમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.&nbsp; જે વ્રજમાં આ સીઝનનો પ્રથમ કન્ટેનમેન્ટ ઝોન છે.</p> <p>વૃંદાવનમાં કોરોના સંક્રમિત વિદેશીઓ મળવાથી સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. વૃંદાવનમાં ગિરધર છાયા આશ્રમની આસપાસ આવેલા ગેસ્ટ હાઉસ, આશ્રમમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ થશે. જો કોઈ વ્યક્તિમાં તાવ, શરદી જેવા લક્ષણો હશે તો કોરોના ટેસ્ટ થશે. અહીંયા રહેતા તમામ વિદેશીઓના સેમ્પલ ટેસ્ટ કરાશે.</p> <p><strong>સીએમઓ ડો. રચના ગુપ્તાએ શું કહ્યું</strong></p> <p>સીએમઓ ડો.રચના ગુપ્તાના કહેવા મુજબ, કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં ટીમો કામ કરીછે. સંક્રમણ જ્યાંથી આવ્યું છે ત્યાં લોકોને સાવધાની રાખવાની અપીલ ચે. જો કોઈ પરેશાની હોય તો લોકો તાત્કાલિક નજીકના કેન્દ્ર પર જઈને કોરોના ટેસ્ટ કરાવે. ઉપરાંત જે લોકોએ વેક્સિન નથી લીધી તે પણ વહેલી તકે લઇ લે.</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</strong></p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6990 નવા કેસ નોંધાયા છે અને 190 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10,116 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. &nbsp;દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,00,543 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3382 કેસ નોંધાયા છે અને 59 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 123,25,02,767 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 78,80,545 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.</p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 87 હજાર 522</li> <li>કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 18 હજાર 299</li> <li>એક્ટિવ કેસઃ 1 લાખ 543</li> <li>કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 980</li> </ul>

from india https://ift.tt/319agiK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...