Pathankot Attack: પંજાબના પઠાનકોટમાં આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડ હુમલો, તમામ વિસ્તારોમાં એલર્ટ જારી
<p>Pathankot Attack: પંજાબના પઠાનકોટમાં આર્મી કેમ્પના ગેટ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. કેમ્પના ત્રિવેણી ગેટ પર બાઇક સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. આ ઘટના બાદ પઠાનકોટના તમામ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલ સીસીટીવી ફૂટેજ તપાસીને હુમલાખોરોની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે.</p> <p>અમને સારા CCTV ફૂટેજ મળવાની આશા છે - SSP</p> <p>પઠાનકોટના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું, "પ્રથમ નજરે જાણવા મળ્યું છે કે અહીં ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. વધુ તપાસ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટરસાઇકલ પસાર થઈ, તે જ સમયે બ્લાસ્ટ થયો. અમને સારા CCTV ફૂટેજ મળવાની આશા છે."</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Punjab | A grenade blast took place near Triveni Gate of an Army camp in Pathankot. Further investigation is underway. CCTVs footage will be probed: SSP Pathankot, Surendra Lamba <a href="https://t.co/NsVSQxz0eF">pic.twitter.com/NsVSQxz0eF</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1462591538035183619?ref_src=twsrc%5Etfw">November 22, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>પઠાનકોટ ભારતના સૌથી મહત્વપૂર્ણ થાણાઓમાંનું એક છે</strong></p> <p>તમને જણાવી દઈએ કે પઠાનકોટ ભારતના સૌથી મહત્વપૂર્ણ થાણાઓમાંનું એક છે. તેમાં એરફોર્સ સ્ટેશન, આર્મી એમ્યુનિશન ડેપો અને બે આર્મર્ડ બ્રિગેડ અને આર્મર્ડ યુનિટ્સ છે. જાન્યુઆરી 2016માં પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો. પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર મોટી માત્રામાં દારૂગોળો સાથે સજ્જ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે સેનાના 8 જવાન શહીદ થયા હતા.</p>
from india https://ift.tt/3oNrXfN
from india https://ift.tt/3oNrXfN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો