PM Modi in Kedarnath Live: પીએમ મોદી બાબા કેદારનાથની પૂજા કરી રહ્યા છે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર
<p><strong>PM Modi Kedarnath Visit:</strong> વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે કેદારનાથ ધામની મુલાકાતે છે જ્યાં તેઓ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી અને 35 ટન વજનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન 2013ની કુદરતી આફતમાં ક્ષતિગ્રસ્ત થયેલા શંકરાચાર્યની સમાધિ સ્થળનું પણ ઉદ્ઘાટન કરશે. બાબા કેદારની મુલાકાતની સાથે મોદી કેદારનાથમાં 400 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.</p> <p>બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે દેવસ્થાનમ બોર્ડના વિસર્જનની માંગ કરતા તીર્થના પૂજારીઓ અને પાંડા સમાજના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી. ધામીએ કહ્યું કે દરેક વ્યક્તિ વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે.</p>
from india https://ift.tt/3EJkAfS
from india https://ift.tt/3EJkAfS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો