મુખ્ય સામગ્રી પર જાઓ

USમાં આરોપીની ગોળીથી મોતને ભેટેલા ગુજરાતી પોલીસ ઓફિસરનાં અંગોનાં દાનથી 11 લોકોને મળી નવી જીંદગી...

<p><strong>વોશિંગ્ટનઃ</strong> અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીની હત્યા કરાઈ હતી. &nbsp;આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કરતાં 11 લોકોને નવું જીવન મળ્યું છે.</p> <p>પરમહંસ દેસાઈનાં બહેન દિવ્યા દેસાઈએ સ્થાનિક ચેનલને મુલાકાત આપતાં કહ્યું હતું કે, મારો ભાઈ બહુ નાનો હતો ત્યારથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું જોતો હતો. પરમહંસે પોલીસ બનવા માટે સખત મહેનત કરીને પોતાનું સાપનું સાકાર કર્યું હતું. પોલીસ ઓફિસર તરીકેન કામગીરીથી તે ગર્વ અનુભવતો હતો અને પોલીસ ઓફિસરના હોદ્દા પર ફરજ બજાવતી વખતે જ તેનું અવસાન થયું છે.</p> <p>દિવ્યા દેસાઈએ કહ્યું કે, અમારા પરિવારે પરમહંસનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેનાં અંગોનું દાન &nbsp;કરવાના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે એ વાતનો અમને અત્યંત આનંદ છે. &nbsp;પરમહંસ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેનાં બંને સંતાનો તેનું સર્વસ્વ હતા. પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને 11 વર્ષીય ઓમ અને 8 વર્ષીય નમન એમ બે પુત્રો છે. &nbsp;પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલાં બીલીમોરાથી અમેરિકા ગયા હતા અને ત્યાં જ રહી ગયા હતા.</p> <p>હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટે પણ પરમહંસને સક્ષણ ઓફિસર ગણાવીને સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે કે, &nbsp;ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે. &nbsp;તેમનું ભલે અવસાન થયું હોય પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનના કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે.</p> <p>પોલીસ ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન દ્વારા અઢી લાખ ડૉલરની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પણ શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 3,13,900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.</p>

from world https://ift.tt/30k3shY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...