મુખ્ય સામગ્રી પર જાઓ

ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ

<p><strong>Omicron in India:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટથી સંક્રમણનો ખતરો વધતો જ જઇ રહ્યો છે. કાલે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બે વધુ બે લોકો ઓમિક્રૉન વેરિએન્ટથી સંક્રમિત નીકળ્યા છે. ત્યારબાદ આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને કુલ 23 થઇ ગઇ છે. ઓમિક્રૉનના ખતરાની વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિદેશથી મહારાષ્ટ્રમાં પહોંચેલા લગભગ 100થી વધુ લોકો ગાયબ થઇ ગયા છે, તંત્રએ હવે આ લોકોની માહિતી મેળવવાનુ શરૂ કરી દીધુ છે. ખાસ વાત છે કે લોકોના ફોન પણ બંધ આવી રહ્યાં છે.&nbsp;</p> <p><strong>295 વિદેશી યાત્રીઓમાંથી 109 યાત્રીઓનો કંઇજ અત્તોપત્તો નથી-&nbsp;</strong><br />કલ્યાણ ડોમ્બિવલી મ્યૂનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના પ્રમુખ વિજય સૂર્યવંશીએ સોમવારે એજન્સી પીટીઆઇને કહ્યું કે વિદેશથી થાણે જિલ્લામાં આવેલા 295 વિદેશી યાત્રીઓમાથી 109 યાત્રીઓનો કોઇજ અત્તોપત્તો નથી. વિજય સૂર્યવંશીએ બતાવ્યુ કે આ લોકોમાંથી કેટલાકના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યાં છે. એટલુ જ નહીં વિદેશથી આવેલા જે યાત્રીઓએ પોતાનુ સરનામુ આપ્યુ હતુ, પરંતુ ત્યા હવે તાળુ લાગેલુ છે.&nbsp;</p> <p>ઉલ્લેખનીય છે કે ઓમિક્રૉનના ખતરાને ધ્યાનમા રાખતા મહારાષ્ટ્ર સરકારે રિસ્કી દેશોમાંથી યાત્રા કરીને ભારત આવનારા લોકોને સાત દિવસના હૉમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનો નિયમ બનાવ્યો છે. આવા લોકોને સાત દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટ થાય છે. &nbsp;</p> <p><strong>India, Omicron Cases Tally: કોરોનાના નવા વેરિઅન્ટ Omicron એ વધારી ચિંતા, જાણો દેશમાં કેટલી થઇ કુલ દર્દીઓની સંખ્યા?</strong><br />Omicron Cases In Mumbai: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. આજે મુંબઇમાં જ બે લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે. બંન્ને 25 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ ઓમિક્રોન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલ પૂણેની NIVમાં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઇ ગઇ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 23 લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે.</p> <p>કોરોનાના નવા ખતરા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટની કિંમત 500થી ઘટાડીને 350 રૂપિયા કરી દીધી છે. જ્યારે હોમ કલેક્શન પર 800ના બદલે હવે 700 રૂપિયા આપવા પડશે. ભારતમાં રવિવારે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 17 કેસ સામે આવ્યા હતા. જેમાં નવ કેસ જયપુરમાં, સાત મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં અને એક કેસ દિલ્હીમાં નોંધાયો હતો. જે લોકો સંક્રમિત થયા છે તેમાં મોટાભાગના તાજેતરમાં જ આફ્રિકાના દેશોમાંથી ભારત પરત આવ્યા છે અથવા તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે. દેશમાં પ્રથમ ઓમિક્રોનનો કેસ 2 ડિસેમ્બરના રોજ કર્ણાટકમા નોંધાયો હતો. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકાર વિદેશથી આવતા લોકો પર દેખરેખ રાખી રહી છે. કેન્દ્ર સરકારે અનેક દેશોને એટ રિસ્કની યાદીમાં મુક્યા છે. જેમાં બ્રિટન સહિત યુરોપિયન દેશ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝીમ્બાબ્વે, સિંગાપોર,હોંગકોંગ, ઇઝરાયલ સામેલ છે.</p>

from india https://ift.tt/32W3nlE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...