મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રમાં 13 બોટ ડૂબી, એક માછીમારનું મૃત્યુ તો 8ની શોધખોળ ચાલુ, 4 માછીમાર સુરક્ષિત કાંઠે આવ્યા

<p>ઉના પાસેના નવા બંદરમાં 10, સૈયર રાજપરા બંદર પાસે બે અને જાફરાબાદ બંદર પાસે એક સહિત દરિયામાં ગયેલ 13 બેટ તોફાની દરિયામાં ડુબતા 35 જેટલા ખલાસીઓ મધદરિયે ફસાયા હતા. જેમાં એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આજે આઠ ખલાસીઓની કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી શોધખોળ ચાલી રહી છે. તો અન્યને મહામુસીબતે બચાવી લેવામાં આવ્યા છે.</p> <p>સૌરાષ્ટ્રના માછીમારો, ખલાસીઓને સમયસર ચેતવણી નહી અપાતા દરિયામાં જતા નહી અટકાવી અને 30 ડિસેમ્બર સુધી ટોકન આપીને પ્રશાસનની બેદરકારી રાખ્યાની ફરિયાદો થઈ છે. ઉના નજીક નવા બંદરના દરિયામાં ગયેલી 10થી 12 બોટ તૂટી જતા દરિયામાં ડુબી ગઈ હતી. તેમાં સવાર 12 માછીમારો લાપતા થયા હતા. જેમાં ચાર ખલાસી રમેશભાઈ રાઠોડ, અરજણ ગુજરીયા, ભરતી બાંભણીયા, ગોવિંદ મકવાણાને કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરીને બચાવી કાંઠે લવાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.</p> <p>જ્યારે ઉનાથી અહેવાલ મુજબ લાપતા થયેલ સાગર રાઠોડ, મોહન સોલંકી, ભીમા ચૌહાણ, નરશી મકવણા, કલ્પેશ સોલંકી, રામુ બાંભણીયા સહિત આઠ માછીમારોને બચાવવા કોસ્ટ ગાર્ડે બે હેલિકોપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે એક ખલાસી શૌકીલ શેખનો મૃતદેહ મળી આવ્યો હતો.</p> <p>તો દસ બોટ દરિયાઈ તોફાનમાં ગુમ થઈ છે. ઉપરાંત ઉનાના સૈયદ રાજપરા પાસે દરિયામાં પણ મીની વાવાઝોડામાં બે બોટ દરિયામાં ગરકાવ થઈ હતી. અને 15 ખલાસીઓ ફસાયા હતા. જેમને અન્ય બોટની મદદથી બચાવી લેવાયા હતા.</p> <p>નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે&nbsp; આ મામલે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટે ના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.</p> <p>મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે&nbsp; કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડ ની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારો ને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.</p>

from gujarat https://ift.tt/3GawPCR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...