મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં ઓમિક્રૉનનો ખતરો? દક્ષિણ આફ્રિકામાંથી આવેલા 6 લોકો સંક્રમિત થતાં લોકોમાં ચિંતા પેઠી, જાણો વિગતે

<p><strong>મુંબઇઃ</strong> છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં કોરોના વાયરસના એક નવા ખતરનાક વેરિએન્ટની એન્ટ્રી થઇ છે, આ વેરિએન્ટ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો છે, અને દુનિયાના 14થી વધુ દેશોમાં ઝડપથી ફેલાયો છે. આ વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે પણ સતર્કતા દાખવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આ વાયરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નોંધાયો નથી તેવો ખુલાસો ખુદ સરકાર પણ કરી ચૂકી છે. હવે આ બધાની વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે કે દક્ષિણ આફ્રિકામાંથી આવેલા છ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેને લઇને સરકાર અને લોકોમાં ઓમિક્રૉન વાયરસની ચિંતા પેઠી છે.&nbsp;</p> <p>દક્ષિણ આફ્રિકામાંથી આવેલા છ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, અને તેમના રિપોર્ટને જીનોમ સિક્વન્સિંગ માટે સંબંધિત INSACOG લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઓમિક્રૉનના સંકટને લઈને હાલ દેશમાં ચિંતા વધી છે. ખાસ વાત છે કે સંક્રમિત થયેલા આ તમામ લોકો મુંબઈ, પૂણે, પિંપરી, ડોમ્બિવલી, ભાયંદરના છે.</p> <p>નવા વેરિયન્ટને પગલે પહેલી જ મહારાષ્ટ્ર સતર્ક જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં આંતરાષ્ટ્રીય મુસાફરોના (International Traveller) RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે સાઉથ આફ્રિકામાંથી આવતા મુસાફરોને ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરોન્ટાઈન કરવામાં આવશે જેમાં હોમ ક્વોરોન્ટાઈનને પણ મંજુરી આપવામાં આવી નથી, એટલે કે મુસાફરોએ ફરજિયાત સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.જ્યાં તેમના 2-4 અને 8 દિવસે ટેસ્ટ કરવામાં આવશે.</p> <p><strong>Omicron: વિશ્વના કયા દેશોમાં Omicron Variant ના કેટલા નોંધાયા કેસ ? જુઓ આ રહ્યું લિસ્ટ</strong><br />Covid New Variant: કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો આ વેરિયન્ટ વિશ્વના અનેક દેશોમાં પહોંચી ચુક્યો છે.</p> <p>વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને &lsquo;Omricron&rsquo; નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.</p> <p><strong>ઓમિક્રોનના કયા દેશમાં કેટલા નોંધાયા કેસ</strong></p> <p>ઓસ્ટ્રેલિયાઃ 6 કેસ<br />ઓસ્ટ્રિયાઃ 1 કેસ<br />બ્રાઝિલઃ 1 કેસ<br />બેલ્જિયમઃ 1 કેસ<br />બોત્સવાનાઃ 19 કેસ<br />કેનેડાઃ 3 કેસ<br />ચેક રિપબ્લિકઃ 1 કેસ<br />ડેનમાર્કઃ 2 કેસ<br />ફ્રાંસઃ 1 કેસ<br />જર્મનીઃ 4 કેસ<br />હોંગકોંગઃ 3 કેસ<br />ઇઝરાયલઃ 2 કેસ<br />ઇટાલીઃ 4 કેસ<br />જાપાનઃ 1 કેસ<br />નેધરલેન્ડઃ 14 કેસ<br />પોર્ટુગલઃ 13 કેસ<br />સાઉથ આફ્રિકાઃ 77 કેસ<br />સ્પેનઃ 1 કેસ<br />સ્વિડનઃ 1 કેસ<br />યુનાઈટેડ કિંગડમઃ 14 કેસ</p>

from india https://ift.tt/3o9SKnt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...