મુખ્ય સામગ્રી પર જાઓ

કેન્દ્ર સરકારે નવા વેરિયન્ટ અંગેના સવાલોના જવાબ આપ્યા, ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરની સંભાવના કેટલી?

<p>નવી દિલ્હીઃ &nbsp;ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાઇ ચૂક્યો છે. એક્સપર્ટે &nbsp; દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી.&nbsp; સરકારે પણ ઓમિક્રોન વેરિઅન્ટ સંબંધિત તમામ સવાલોના જવાબો આપ્યા હતા.</p> <p>સરકારને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓમિક્રોનના કારણે ત્રીજી લહેરની સંભાવના કેટલી? &nbsp;જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે &nbsp;દક્ષિણ આફ્રિકા તથા અન્ય દેશોમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. જેમાં હવે ભારતનો પણ સમાવેશ થયો છે. કેસની સંખ્યામાં ઝડપી વધારો થયો છે પણ હજુ સુધી આ વેરિયન્ટની ગંભીર અસરો જોવા મળી નથી. ભારતમાં વ્યાપક રસીકરણ કારણે સીરો પોઝિટિવિટી વધુ હોવાથી ઓમિક્રોનની અસર ઓછી રહેવાની શક્યતા છે.</p> <p>સરકારે અન્ય એક સવાલ કરાયો હતો કે શું વેક્સિન આ વેરિયન્ટ સામે કારગર રહેશે? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે &nbsp;ઓમિક્રોન પર હાલની વેક્સિન કારગર નથી એવા કોઈ પુરાવા મળ્યા નથી. ઓમિક્રોન અંગે કેટલી ચિંતા કરવાની જરૂર છે? એવા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે &nbsp;ઓમિક્રોન વેરિયન્ટ ઑફ કન્સર્ન શ્રેણીમાં આવે છે. તેના મ્યુટેશન્સથી સંક્રમણ ઝડપી નોંધાયું છે એટલું જ નહીં અગાઉ પોઝિટિવ થયેલા લોકો પણ ફરી સંક્રમિત થઈ રહ્યા છે.</p> <p>ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે શું સાવચેતી રાખવી જોઇએ તેવા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું વધુ ગંભીરતાથી પાલન કરવું પડશે. તથા જેમણે રસીના બન્ને ડોઝ નથી લીધા તેમણે વહેલી તકે રસી મેળવી લેવી જોઈએ. શું કોરોનાના નિદાન માટેની હાલની પદ્ધતિ ઓમિક્રોન માટે પણ યોગ્ય છે?</p> <p>&nbsp;</p> <p><strong><a href="https://ift.tt/3GvJ6SL Omicron Case:કર્ણાટક અને ગુજરાત બાદ મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિદેશથી પરત આવેલ વ્યક્તિ થયો સંક્રમિત</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3oouvCb C-Voter Survey: કઈ પાર્ટીના હિસ્સામાં UP મા આવશે સૌથી વધુ મત, આજના સર્વેમાં ખુલાસો</a></strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/congress-leader-bharatsinh-solanki-said-patidar-leader-naresh-patel-has-deserves-to-padma-shree-award-747919">સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ પાટીદાર આગેવાનને પદ્મશ્રી એવોર્ડ આપવાની કોંગ્રેસે કરી માગણી ? કંગનાને પદ્મશ્રી મળી શકે તો........</a></strong></p> <p><strong><a href="https://ift.tt/3GixoL8 Corona Cases: ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 2796 લોકોના મોતથી હડકંપ, જાણો કેટલા નોંધાયા કેસ</a></strong></p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3G6EaU2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

<p>ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.&nbsp;</p> <p><strong>અમેરિકા પહેલા નંબરેઃ</strong><br />ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને &nbsp;વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયા કયા નંબર પર?</strong><br />અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...