મુખ્ય સામગ્રી પર જાઓ

આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ

<p>ઉત્તર કોરિયા શોકમાં છે. આ તેના ભૂતપૂર્વ નેતા કિમ જોંગ ઇલની 10મી વર્ષગાંઠનો શોક છે. પૂર્વ નેતાના નિધનના 10 વર્ષ પૂરા થવા પર ઉત્તર કોરિયાના લોકો પર 11 દિવસનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન દેશની જનતા ન તો હસી શકે છે અને ન તો દારૂ પી શકે છે. સરકારી અધિકારીઓએ કિમ જોંગ ઈલના મૃત્યુની યાદમાં લોકો સાથે કોઈપણ પ્રકારની ખુશી વ્યક્ત ન કરવા કડક આદેશ આપ્યા છે. કિમ જોંગ ઇલ 1994 થી 2011 સુધી ઉત્તર કોરિયા પર શાસન કર્યું, જ્યારે તેનું મૃત્યુ થયું.</p> <p>ડેઈલીમેલના સમાચાર અનુસાર, કિમ જોંગ ઈલ બાદ તેમના ત્રીજા અને સૌથી નાના પુત્ર કિમ જોંગ ઉને દેશની કમાન સંભાળી છે. હવે તેમના મૃત્યુની 10મી વર્ષગાંઠ પર ઉત્તર કોરિયાના લોકોને 11 દિવસનો 'કડક' શોક મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ હસીને કે દારૂ પીને પોતાની ખુશી વ્યક્ત કરી શકતી નથી. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા સિનુઇજુ શહેરના રહેવાસીએ કહ્યું કે શોકના સમયગાળા દરમિયાન અમે દારૂ પી શકતા નથી, હસી શકતા નથી અથવા અન્ય સુખદ પ્રવૃત્તિઓ કરી શકતા નથી.</p> <p><strong>નિયમ તોડનારાઓ ફરી ક્યારેય જોવા મળ્યા નથી</strong></p> <p>કિમ જોંગ ઇલનું 17 ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું, તેથી આ દિવસે કોઈ પણ વ્યક્તિ સામાન ખરીદવા માટે માર્કેટમાં નહીં જઈ શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇતિહાસમાં જે લોકો શરાબનું સેવન કરતા અથવા શોક દરમિયાન આનંદ માણતા જોવા મળ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને વૈચારિક ગુનેગારો તરીકે સજા કરવામાં આવી હતી. અધિકારીઓ તેમને લઈ ગયા અને તેઓ ફરી ક્યારેય જોવા મળ્યા નહીં. અહેવાલ મુજબ, જો કોઈના પરિવારમાં શોક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો પણ તેમને મોટેથી રડવાની મંજૂરી નથી અને તેઓ શોક સમાપ્ત થયા પછી જ મૃતદેહને બહાર કાઢી શકે છે.</p> <p><strong>લોકો</strong><strong>ના</strong> <strong>'</strong><strong>દુઃખ</strong><strong>' </strong><strong>પર પોલીસ બંદોબસ્ત</strong></p> <p>એવું કહેવાય છે કે આ દરમિયાન લોકો પોતાનો જન્મદિવસ ઉજવી શકતા નથી. બીજા સ્ત્રોતે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓને લોકો પર સતત નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે કે જેથી તેઓ પર્યાપ્ત શોક કરે. ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જોંગ ઇલનું 17 ડિસેમ્બર 2011ના રોજ 69 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમણે 17 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. ઉત્તર કોરિયામાં દર વર્ષે આ શોક મનાવવામાં આવે છે જે 10 દિવસનો હોય છે. પરંતુ આ વખતે તેમના મૃત્યુના 10 વર્ષ પૂરા થવા પર 11 દિવસ થશે.</p>

from world https://ift.tt/3GPEXZY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...