મુખ્ય સામગ્રી પર જાઓ

ભરૂચઃ નિવૃત્ત પીએસઆઈના પુત્રએ જનરલ બિપિન રાવત પર કરી અભદ્ર ટિપ્પણી, પોલીસે કરી ધરપકડ

<p>ભરૂચઃ તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનો નશ્વર દેહ શુક્રવારે સાંજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાનભૂમિમાં પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. જનરલ રાવતને ૧૭ તોપોની સલામતી આપવાની સાથે જ ૩૩ સૈન્ય કર્મચારીઓે અંતિમ વિદાય પણ આપી હતી. સીડીએસ અને તેમનાં પત્નીની બધી જ અંતિમ ક્રિયાઓ તેમની પુત્રીઓએ કરી હતી. જનરલ રાવત પર અમરેલીના યુવકે અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ હવે ભરૂચના પોલીસકર્મીના પુત્રએ અભદ્ર કોમેન્ટ કરી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.</p> <p>ભરૂચના શખ્સે દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને લઇને શોકાંજલી વ્યક્ત કરતી એક યુવાનની પોસ્ટ પર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પગલે એસઓજી ભરૂચ PSI શકૂરિયાએ પીઆઈ કે. ડી. મંડોરાના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.</p> <p><strong>ક્યાં રહે છે આરોપી</strong></p> <p>ફિરોજ દિવાન ભરૂચના મનુબર રોડ પર આવેલી મુન્સી સ્કૂલ પાસેની સકુન બંગ્લોઝ ખાતે રહે છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તેની સામે દેશના CDS અને અન્ય જવાનો ઉપર કરેલી પોસ્ટથી દેશના સુરક્ષા જવાનોનું અપમાન કર્યું છે. કરોડો લોકો સાથે દેશની લાગણી દુભાવવા અને અશાંતિ ડોહળવવાના આવા કૃત્ય બદલ SOG એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી ધરપકડની કરી છે.</p> <p><strong>નિવૃત્ત પીએસઆઈ પિતાએ શું કહ્યું</strong></p> <p>પોલીસ વિભાગમાં પહેલા ભરૂચમાં એએસઆઇ અને બાદમાં પ્રમોશન મેળવીને પીએસઆઇ તરીકે અન્ય જિલ્લામાંમાં ફરજ બજાવીને નિવૃત થયેલા તેના પિતાએ મામલામાં પુત્રના કૃત્ય અંગે ખેદ વ્યકત કર્યો હતો.ઉપરાંત સમગ્ર પ્રકરણમાં કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમણે રજુઆત કરી હતી.</p> <p><strong>એસઓજી પીઆઈએ શું કહ્યું</strong></p> <p>એસઓજી પીઆઇ કે.ડી.મંડોરાએ જણાવ્યું હતું કે, દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ સોશિયલ મિડીયાની પોસ્ટ પર અભદ્ર ટીપ્પણી કરનાર ફિરોજ દિવાનની ધરપકડ કરાઇ છે.</p>

from gujarat https://ift.tt/3GDiDCL

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...