મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં ફેબ્રુઆરીમાં પિક પર હશે થર્ડ વેવ, ઓમિક્રોન જ બનશે કારણ, જાણો એક્પર્ટે શું આપી ચેતાવણી

<p><strong>Corona third wave:</strong>દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રોન પીક પર હશે. આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના અધ્યયનનો આ દાવો છે. જો કે એક્સપર્ટનો મત છે કે, થર્ડ વેવ સેકેન્ડ જેટલી ઘાતક નહીં હોય.</p> <p>ઉલ્લેખનિય છે કે, ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે.&nbsp; ડોક્ટર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રના આધારે બીજી લહેર બાદ નવા મ્યૂટનન્ટ આવવાથી ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. કોરોના સંક્રમણની પહેલી તેમજ બીજી લહેરમાં તેમના ગણિતીય સૂત્રના માધ્યમથી સમીક્ષા કરના પ્રોફેસર અગ્રવાલે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટ પર સ્ટડી શરૂ કર્યું હતું અને હાલ પણ તેના પર અધ્યયન ચાલું જ છે.</p> <p>આ મુજબ, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ વધુ જાનહાનિ જોવા મળી નથી. પ્રો. અગ્રવાલે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જ ત્રીજી લહેર વિશે કરવામાં આવેલ આકલન સાચું સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ત્રીજી લહેર ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સુધી સંક્રમિત દર્દીઓ થવાની સંભાવના છે. પ્રો. અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાના પ્રથમ અને બીજા તરંગમાં પણ અભ્યાસ કર્યો હતો. અહેવાલ અંગેનું તેમનું મૂલ્યાંકન મહદઅંશે સાચું સાબિત થયું હતું.</p> <p><strong>બાળક પર ઓછી થશે અસર<br /></strong>પ્રો. અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરોનાના ત્રીજા તરંગની બાળકો પર પણ ઓછી અસર કરશે. અને જો સંક્રમિત થશે તો તેમનામાં પણ ઓછા લક્ષણો હશે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ જશે. તેમનામાં સામાન્ય શરદી જેવા લક્ષણો હશે પરંતુ બીજા તરંગ જેવા પરેશાની નહીં હોય. પ્રો. અગ્રવાલે કહ્યું કે આ પ્રકાર કુદરતી રોગપ્રતિકારક શક્તિને બહુ બાયપાસ કરતું નથી. નેચરલ ઈમ્યુનિટી એટલે કે જે લોકો એક વખત કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેઓએ વધારે ગભરાવાની જરૂર નથી. તેઓ સંક્રમણથી બચી શકશે નહીં.</p> <p><strong>વેક્સિન જ એક બચવાનો ઉપાય<br /></strong>પ્રોફેસરે અગ્રવાલે કહ્યું કે, માસ્ક સામાજિક અંતરની સાથે વેક્સિન જ એક વાયરસથી બચવાનો સારો ઉપાય છે. જે લોકોને બીજી વેક્સિનના ડોઝના સમય થઇ ગયો છે, તેને વિલંબ કર્યા વિના લઇ લેવી હિતાવહ છે.</p> <p><strong>આંશિક લોકડાઉન જરૂરી<br /></strong>પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, આમિક્રોનના કારણે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી નહીં થાય. જો કે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે કેટલાક પ્રતિબંઘ લાદવા ચોક્કસ જરૂરી છે.</p> <h1>&nbsp;</h1> <p>&nbsp;</p>

from india https://ift.tt/3xTGw5E

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...