મુખ્ય સામગ્રી પર જાઓ

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, 12 લોકોના મોત

<p>અફઘાનિસ્તાન (Afghanistan) માં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત બડધિસમાં સોમવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 હતી. સ્થાનિક અધિકારીએ આ જાણકારી આપી.</p> <p>મળતી માહિતી મુજબ પશ્ચિમી પ્રાંત બડધિસમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાથી અનેક મકાનોને નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.</p> <p><strong>શુક્રવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા</strong></p> <p><br />આ પહેલા શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે, તે સમયે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર મળ્યા ન હતા. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 117 કિમી દક્ષિણપૂર્વમાં હતું.</p> <p><br />ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા</p> <p>તે જ સમયે, શુક્રવારે ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રાજધાની જકાર્તામાં જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી. નોંધપાત્ર રીતે, ન્યુઝીલેન્ડમાં ટોંગા નજીક પાણીની અંદર જ્વાળામુખી ફાટ્યા પછી, રવિવારે પ્રશાંત મહાસાગરની આસપાસ સુનામીનો ખતરો ઓછો થવા લાગ્યો.&nbsp;</p> <p><strong>UAEમાં યમનના હૂતી વિદ્રોહીઓએ એરપોર્ટ પર કર્યો મોટો હુમલો</strong></p> <p>સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)માં હુમલાના સમાચાર સામે આવ્યા છે. યમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ સાઉદી અરબ બાદ હવે યુએઇ પર હુમલો કરવાનુ શરૂ કરી દીધુ છે. અધિકારીઓએ અનુસાર, અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બે ધમાકા થયા. દુબઇના અલ અરબિયા ઇંગ્લિશના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે, જેમા બે ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિક છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ડ્રૉન્સ દ્વારા કરવામાં આવ્યો છે.&nbsp;</p> <p>ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ હુમલાની જવાબદારી લઇ લીધી છે. સંગઠને નિવેદન આપીને યુએઇ પર હુમલા શરૂ કરવાની વાત કહી છે. યુએઇના સ્થાનિક મીડિયા અનુસાર, એરપોર્ટ પર આ બ્લાસ્ટ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના પેટ્રૉલ લઇ જઇ રહેલા ટેન્કરોમાં થયા છે. શરૂઆતી તપાસમા સામે આવ્યુ છે કે ટેન્કરોમાં આગ લાગવાના ઠીક પહેલા આકાશમાં ડ્રૉન જેવી આકૃતિઓ દેખાઇ હતી. જો કે બે અલગ અલગ વિસ્તારોમાં પડી હતી.&nbsp;</p> <p>&nbsp;</p>

from world https://ift.tt/3nUYcdF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...