મુખ્ય સામગ્રી પર જાઓ

પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી

<p>રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યા પછી દેશના શેરબજાર અને રૂબલ ડૂબી જતાં રશિયાના અબજોપતિઓની સંપત્તિમાં મોટાપાયે ધોવાણ થયું છે.</p> <p>રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને રવિવારે ક્રેમલિન ખાતેની બેઠક દરમિયાન દેશના ટોચના વ્યાપારી નેતાઓને જણાવ્યું હતું કે જે થઈ રહ્યું છે તે કરવું ખૂબ જ જરૂરી હતું.</p> <p>પુતિને બોલાવેલી બેઠકમાં ઓછામાં ઓછા 13 અબજોપતિઓ હાજર હતા. પુટિને તેમને કહ્યું, "અમારી પાસે આ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. " અહેવાલો અનુસાર પુતિનની આ વાત પર અબજોપતિઓમાંથી કોઈએ કોઈ જ ટિપ્પણી કરી નથી.</p> <p>ફોર્બ્સના અહેવાલ મુજબ 16 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી 116 અબજોપતિઓને 126 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.</p> <p>તેમાંથી, ગુરુવારે અંદાજે $71 બિલિયનનું ધોવાણ થયું હતું, જ્યારે રશિયાનો Moex ઇન્ડેક્સ 33% નીચે બંધ થયો હતો અને રૂબલ ડોલર સામે રેકોર્ડ નીચી સપાટીએ ગબડી ગયો હતો.</p> <p>અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ગુરુવારે ક્રેમલિન ખાતેના ઓછામાં ઓછા પાંચ અબજોપતિઓ - અલેકપેરોવ, મિખેલસન, મોર્દાશોવ, પોટેનિન અને કેરીમોવને સૌથી વધુ નુકસાન થયું હતું. એકંદરે, ઓછામાં ઓછા 11 રશિયન અબજોપતિઓએ ગુરુવારે દરેકને $1 બિલિયન અથવા તેથી વધુ ગુમાવ્યા હતા.</p> <p>આ અઠવાડિયાની શરૂઆતમાં, બ્રિટિશ સરકારે પુતિનના ભૂતપૂર્વ જમાઈ (અને ભૂતપૂર્વ અબજોપતિ) કિરીલ શામાલોવ સહિત ઘણા અબજોપતિઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. યુક્રેન પર રશિયનના હુમલાને પગલે તેણે રશિયાની બેંકોની સંપત્તિ ફ્રીઝ કરવાની અને રશિયન નાગરિકો પર યુકે બેંક ખાતામાં $66,000 (50,000 પાઉન્ડ) થી વધુ રાખવા પર પ્રતિબંધની પણ જાહેરાત કરી હતી.</p> <p>વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ પશ્ચિમી નેતાઓને વધુ આગળ વધવા અને આંતરરાષ્ટ્રીય નાણા અને બેન્કિંગ માટેની મુખ્ય પાઈપલાઈન પૈકીની એક, સ્વિફ્ટ ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમમાંથી રશિયાને બહાર કાઢવા દબાણ કર્યું હોવાનું અહેવાલ છે.</p> <p>બ્રિટિશ વિપક્ષી ધારાશાસ્ત્રીઓએ વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને વધુ આગળ વધવા અને પ્રીમિયર લીગ સોકર ટીમ ચેલ્સિયા એફસીના માલિક, રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચની સંપત્તિ જપ્ત કરવા હાકલ કરી.</p> <p>ફોર્બ્સે અહેવાલ આપ્યો છે કે આ અઠવાડિયે અબ્રામોવિચે તેની સંપત્તિમાંથી $1 બિલિયનથી વધુનું ધોવાણ થયું હતું.</p>

from world https://ift.tt/tpI4W59

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...