મુખ્ય સામગ્રી પર જાઓ

WHOએ લોન્ચ કરી મોબાઇલ એપ, તમાકુની લત છોડવા માંગતા લોકોને કરશે મદદ

<p>નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે એક મોબાઈલ એપ્લિકેશન &lsquo;Quit Tobacco App&rsquo; લોન્ચ કરી છે જેનો હેતુ લોકોને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરવાનો છે. એપ લોન્ચ કરતી વખતે ઓર્ગેનાઈઝેશન ફોર સાઉથ-ઈસ્ટ એશિયાના ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે તમાકુ દરેક સ્વરૂપમાં ઘાતક છે અને આ એપમાં કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે તમાકુને છોડવા માંગતા લોકોને મદદ કરશે.</p> <p>તેમણે વધુમાં કહ્યું કે આ એપની મદદથી તમાકુનું સેવન કરતા લોકોને જાણકારી મળશે કે તમાકુ કેટલું જોખમી છે. એવા અનેક લોકો છે જે તમાકુ છોડવા માંગે છે પરંતુ તેમ કરી શકતા નથી. આવી સ્થિતિમાં &nbsp;આ એપ તેમના માટે મદદરૂપ સાબિત થશે.</p> <p>દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે</p> <p>ડબલ્યૂએચઓ દ્દારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રથમ એપ છે જે યુઝર્સને &nbsp;પોતાના લક્ષ્યો નક્કી કરવા, તમાકુની તડપને નિયંત્રિત કરવા અને તમાકુ છોડવાના તેમના નિર્ણયનું પાલન કરતા શીખવે છે. આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, એક અંદાજ મુજબ, તમાકુ વિશ્વમાં મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ છે. આ પ્રકારના મોતને ઇચ્છીએ તો રોકી શકાય છે. તમાકુના કારણે વિશ્વમાં &nbsp;દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે.</p> <p>તમાકુના કારણે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં 1.6 મિલિયન લોકો મોતને ભેટ્યા છે. અહીં માત્ર તમાકુનું જ મોટા પ્રમાણમાં સેવન થતું નથી પરંતુ તે તેનો સૌથી મોટો ઉત્પાદક પણ છે. તમાકુના ઉપયોગ બિન-ચેપી રોગો અથવા બિન-સંચારી રોગો જેમ કે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ, ફેફસાના કોઈપણ ક્રોનિક રોગ માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. કોરોનાના સમયમાં તમાકુનું સેવન કરનારા સંક્રમિતોની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા પણ છે.</p> <p>ડબલ્યૂએચઓ ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રેડ્સ ઇન ટ્રેન્ડ્સ ઓફ ટોબેકો યુઝ 2000-2025 (ચોથી આવૃતિ,2021) અનુસાર ડબલ્યૂએચઓ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં તમાકુના ઉપયોગમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સૌથી વધુ 432 મિલિયન તમાકુનું સેવન કરનારાઓ અથવા 29 ટકા લોકોએ તમાકુનું સેવન કરવાનું ચાલુ રાખ્યું હતું. &nbsp;આ પ્રદેશમાં વૈશ્વિક સ્તરે 355 મિલિયનમાંથી 266 મિલિયન સ્મોકલેસ તમાકુનું સેવન કરે છે. ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ/ઈ-સિગારેટ, શીશા/હુક્કા જેવા નવા અને ઉભરતા ઉત્પાદનોનો વધતો ઉપયોગ તમાકુ નિયંત્રણ માટે વધારાના પડકારો છે.</p>

from world https://ift.tt/0kTzIpt

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...