મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિના ઘરની બહાર પડ્યૂ રોકેટ, ઝેલેંસ્કી બોલ્યા- નિશાન ચૂકાયું

<p>યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. રશિયન દળોએ યુક્રેનિયન સેનાના બેઝ &nbsp;નષ્ટ કરી દીધા છે અને બાકીના કેટલાક બેઝ પર &nbsp;સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુક્રેન વારંવાર દાવો કરી રહ્યું છે કે રશિયા તેમના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસકીની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ નિવાસ પર રોકેટનો એક ટુકડો પડ્યો હોવાનું મળી આવ્યું છે. જેને યૂક્રેન રાષ્ટ્રપતિ પર કરવામાં આવેલો હુમલો બતાવવામાં આવી રહ્યો છે.</p> <p>રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતે તેમના નિવાસની બહાર પડેલા આ રોકેટના ટુકડાને લઈ &nbsp;ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, આ &nbsp;નિશાન ચૂકી ગયું છે... એટલે કે ફરી એકવાર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.</p> <p><strong>યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાનો કબજો</strong></p> <p><br />યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થશે તો આખું યુરોપ બરબાદ થઈ જશે. તેમણે કહ્યું કે ન્યુક્લિયર પાવર સ્ટેશન પર તબાહીથી યુરોપને નષ્ટ ન થવા દેવું જોઇએ. રશિયન સેનાએ ઝાપોરિઝ્ઝ્યા પર હુમલા બાદ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે.</p> <p><strong class="uk-margin-bottom uk-display-block">ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી</strong></p> <div class="card_content"> <p>કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે પોલેન્ડમાં જણાવ્યું હતું કે આજે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી છે.&nbsp; તેને&nbsp; અડધે રસ્તેથી કિવ પરત લઈ જવામાં આવ્યો હતો.&nbsp;</p> </div> <p>રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. રશિયન સેનાના હુમલા બાદ હવે યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં ખાર્કીવ, ચેર્નિહિવ, બોરોદયાંકા સહિતના શહેરોમાં હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં માત્ર 24 કલાકમાં જ 22 લોકોના મોત થયા છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન યુદ્ધના મેદાનમાંથી ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવવા માટે સહમત થયા છે, પરંતુ હજુ પણ યુદ્ધવિરામ પર સહમતિ બની નથી.</p>

from world https://ift.tt/FcdxIjM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...