મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર

<p><strong>Russia Ukraine War:</strong> રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેને શુક્રવારે રશિયન સેના પર ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલામાં પ્લાન્ટના છ રિએક્ટરમાંથી એકમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લાવવામાં આવી હતી, પરંતુ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે જો વિસ્ફોટ થશે અથવા કિરણોત્સર્ગી પદાર્થોનું લીક થશે તો તે માત્ર યુક્રેન જ નહીં પરંતુ સમગ્ર યુરોપનો અંત હશે. રશિયાએ પ્લાન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. પ્લાન્ટ પર કેવી રીતે હુમલો થયો તે સ્પષ્ટ નથી.</p> <p><strong>ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે</strong></p> <p>નજીકના શહેર નેહોદરના મેયર દિમિત્રો ઓર્લોવ દાવો કરે છે કે જ્યારે રશિયન સૈન્ય પ્લાન્ટની નજીક પહોંચ્યું ત્યારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. બાદમાં દિમિત્રોને રશિયન સેનાએ બંધક બનાવી લીધા હતા. ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટના પ્રવક્તા આન્દ્રે તુઝે જણાવ્યું હતું કે એક રિએક્ટરને નુકસાન થયું હતું, જોકે તે જોખમમાં નથી. પરંતુ પરમાણુ નિષ્ણાતો આનાથી સાવચેત થઈ ગયા છે, તેઓએ કહ્યું કે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર હુમલો ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.</p> <p><strong>આઈએઈએ શું કહ્યું</strong></p> <p>હુમલા પછી આંતરરાષ્ટ્રીય એટમિક સંસ્થા ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ)એ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ઝેપોરિઝ્ઝિઆ પરમાણુ પ્લાન્ટમાં ૬ રિએક્ટર છે. આ પ્લાન્ટ&nbsp; આખા યુરોપમાં સૌથી મોટો અને પૃથ્વી પર ૯મો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે. રશિયન સૈન્યે તેના પર મોર્ટાર અને આરપીજીથી હુમલા કર્યા હતા, જેને પગલે રિએક્ટર સેન્ટરના કેટલાક ભાગમાં આગ લાગી હતી. આ હુમલાથી રિએક્ટરને કોઈ જોખમ નથી. તેની બાજુના તાલિમ સેન્ટરમાં આગ લાગી હતી. રિએક્ટર એકદમ સલામત છે તેમ આઈએઈએએ ઉમેર્યું હતું. &nbsp;</p> <p><strong>બાઈડેને શું કરી વિનંતી</strong></p> <p>બાઈડેને રશિયાને વિનંતી કરી છે કે નિષ્ણાતોને પ્લાન્ટનું નિરીક્ષણ કરવા દે.</p> <p><strong>યુરોપીયન ગુપ્તચર એજન્સીએ કર્યો મોટો દાવો</strong></p> <p>યુરોપીયન ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે ત્રણ દિવસમાં યુક્રેન કબજે કરવાની પુતિનની યોજના નિષ્ફળ ગઈ હોવાથી અને યુક્રેનના નાગરિકોએ રશિયન સૈન્યનો જોરદાર પ્રતિકાર કરવાને કારણે રશિયા હવે નાગરિકોનું મનોબળ તોડવા માટે યુક્રેનના શહેરોમાં લોકોને જાહેરમાં ફાંસી આપવાની યોજના બનાવી રહ્યું છે. વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહી, રાજકીય વિરોધીઓની કેદ અને જાહેરમાં ફાંસીને આક્રમક રણનીતિ માનવામાં આવે છે. બ્લૂમબર્ગે રશિયન ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસના રિપોર્ટના દસ્તાવેજોને ટાંકીને કહ્યું હતું કે, રશિયન એજન્સી હિંસક ભીડ નિયંત્રણ માટે આયોજકોની ધરપકડ કરવાની પણ યોજના બનાવી રહી છે. &nbsp;</p>

from world https://ift.tt/OicvxIk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...