મુખ્ય સામગ્રી પર જાઓ

Russia Ukraine War: પુતિનનો નવો પ્લાન, યુક્રેનવાસીઓને જાહેરમાં ફાંસી આપવાની રશિયા યોજના બનાવી રહ્યું હોવાના દાવાથી ખળભળાટ

<p><strong>Russia Ukraine War:</strong> યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શનિવારે 10મા દિવસે પણ ચાલુ છે. રશિયન સૈનિકો સતત યુક્રેનના વિવિધ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાની યોજના અંગે મોટો ખુલાસો થયો છે. રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લીક થયેલા દસ્તાવેજો સૂચવે છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે લોકોનું નિરાશ કરવા માટે યુક્રેનિયન શહેરોમાં જાહેરમાં ફાંસીની સજા આપવાની યોજના બનાવી છે.</p> <p>રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ખૂબ જ ગંભીર અને ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. રશિયા મનોબળ તોડવાના પ્રયાસમાં યુક્રેનિયન શહેરોમાં યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાની યોજનાને અમલમાં મૂકી શકે છે.</p> <p><strong>રશિયા જાહેરમાં ફાંસી આપવાની યોજના ધરાવે છે</strong></p> <p>અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અનામી યુરોપીયન ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયા વિરોધીઓ પર તોડફોડ કરવા માટે જાહેર ફાંસીની યોજનાને અંજામ આપી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના લોકોના મનોબળને તોડવાનો છે.</p> <p>રિપોર્ટર કિટ્ટી ડોનાલ્ડસને ટ્વિટ કર્યું, "એજન્સી યુક્રેનિયન લોકોનું મનોબળ તોડવા માટે હિંસક ટોળાને નિયંત્રણ અને વિરોધીઓની દમનકારી અટકાયતની પણ યોજના બનાવી રહી છે." રશિયન સૈનિકોએ સતત 10મા દિવસે યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાના સમાચાર આવ્યા હતા અને તેમાંથી ધુમાડો નીકળ્યો હતો, જેના પછી દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી.</p> <p><strong>&nbsp;યુક્રેન પર રશિયાનો સતત હુમલો ચાલુ છે</strong></p> <p>તમને જણાવી દઈએ કે રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. મોટી ઈમારતો અને શાળાની ઈમારતો પર પણ હુમલા થઈ રહ્યા છે. ખેરસન શહેરને રશિયન સૈનિકોએ કબજે કરી લીધું છે. જો કે, ઘણી જગ્યાએ આક્રમણકારોને યુક્રેન તરફથી ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદરીય શહેર માર્યુપોલ પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે ચેર્નિહિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર થયેલા હવાઈ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા.</p>

from world https://ift.tt/W9Ktfxw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...