મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine Russia War: કીવથી બહાર નિકળી ગયા છે તમામ ભારતીય, આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય, વિદેશ સચિવે આપી જાણકારી

<p>Ukraine Russia War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ શેડ્યૂલ છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ સિવાય પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવવા માટે કરવામાં આવશે.</p> <p>હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સનું સી-17 એરક્રાફ્ટ બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા જઈ શકે છે. તે જ સમયે, IAF અધિકારીએ માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાનું C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આવતીકાલે સવારે 4 વાગે દિલ્હી નજીક હિંડોનમાં તેના હોમ બેઝથી રોમાનિયા માટે રવાના થશે.</p> <p>વિદેશ સચિવે કહ્યું, &ldquo;જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, ત્યારે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના 40% વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ક્ષેત્રમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે.</p> <p><strong>'કિવમાં આપણા &nbsp;વધુ નાગરિકો નથી'</strong></p> <p><br />હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું, "આપણા તમામ નાગરિકોએ કિવ છોડી દીધું છે, અમારી પાસે જે માહિતી છે તે મુજબ, કિવમાં આપણા &nbsp;વધુ કોઈ નાગરિક નથી, ત્યાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી."</p> <p>[tw]https://twitter.com/ani_digital/status/1498705167046553600[/tw]</p> <p>વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે- PMએ યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીયોને એરલિફ્ટ કરવા માટે બુખારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ઉપયોગ કરાશે.</p> <p>વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે- પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જ્યારે અમારી પહેલી એડવાઇઝરી જાહેર કરી હતી તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય &nbsp;વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 છાત્ર યુક્રેન છોડી ચુક્યા છે. બાકી વધેલા 40% છાત્રોમાંથી લગભગ અડધાં યુદ્ધ વિસ્તારમાં છે અને અડધાં યુક્રેનથી પશ્ચિમી બોર્ડર પહોંચી ગયા છે કે તે તરફ આગળ વધી રહ્યાં છે.</p>

from world https://ift.tt/EGzofFy

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...