મુખ્ય સામગ્રી પર જાઓ

Ukraine Russia War: યૂક્રેન પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મોટુ નિવેદન, કહ્યું- પુતિને કિંમત ચૂકવવી પડશે

<p>યુક્રેન પર હુમલાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સતત વિશ્વના મોટા દેશોના નિશાના પર છે. ખાસ કરીને અમેરિકા રશિયા વિશે સૌથી વધુ અવાજ ઉઠાવે છે. હવે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને &nbsp;પુતિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. જો બાઈડેને કહ્યું છે કે પુતિન ખૂબ જ આક્રમક છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે.</p> <p><strong>રશિયાને જવાબદાર ગણવામાં આવશે - બાઈડેન</strong></p> <p>યુક્રેન પર થયેલા હુમલાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પુતિનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રશિયા પરના પ્રતિબંધો સતત ચાલુ રહેશે. તેમણે કહ્યું કે યુક્રેન પરના અન્યાયી હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવવાની પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એટલે કે, બાઈડેને રશિયાને વૈશ્વિક સ્તરે આ હુમલાની મોટી કિંમત ચૂકવવાની ચેતવણી આપી છે.</p> <p><strong>અમેરિકાએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે</strong></p> <p>આ પહેલા પણ અમેરિકા અને રાષ્ટ્રપતિ બાઈડેન યુક્રેનને લઈને રશિયા પર સતત પ્રહારો કરી રહ્યા હતા. અમેરિકાએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. તાજેતરમાં, અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયાથી તેલ, ગેસ અને ઊર્જાની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે, આવો વેપાર રશિયા સાથે કરવામાં આવશે નહીં. અમેરિકાએ ઘણા રશિયન ઉદ્યોગપતિઓ અને બેંકો પર પ્રતિબંધ લાદવાની વાત પણ કરી હતી. બાઈડેને કહ્યું હતું કે, અમે રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છીએ, જેના માટે અમારે ચૂકવણી પણ કરવી પડશે. પરંતુ યુક્રેન પર હુમલા બાદ અમે રશિયા સામે આવા પ્રતિબંધો લાદવાનું ચાલુ રાખીશું.</p> <p>તમને જણાવી દઈએ કે અમેરિકાની જેમ દુનિયાના ઘણા દેશોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. જે બાદ રશિયાની અર્થવ્યવસ્થા પર તેની મોટી અસર પડી છે. વેપારને કારણે રશિયન કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. તે જ સમયે, રશિયન ખેલાડીઓ અને અન્ય લોકો પણ આની કિંમત ચૂકવી રહ્યા છે. હાલમાં યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે, વાતચીત પણ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી બંને દેશો કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.</p> <p>રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 16મો દિવસ છે. રશિયન સેના કીવની વધુ નજીક પહોંચી ગઈ છે. બીજીબાજુ અમેરિકાએ રશિયામાંથી શરાબ, સી ફૂડ તથા હિરાની આયાત ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને જણાવ્યું છે કે અમેરિકા રશિયા સાથેના વેપારને ઓછો કરશે અને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હટાવી દેશે.</p>

from world https://ift.tt/Gx3vUCg

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...